________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
ગાથા-૪૫
कथं चिदन्वयप्रतिभासेऽप्यध्यवसानादयः पुद्गलस्वभावा इति चेत्
अविहं पिय कम्मं सव्वं पोग्गलमयं जिणा बेंति । जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स ।। ४५ ।।
अष्टविधमपि च कर्म सर्वं पुद्गलमयं जिना बुवन्ति ।
यस्य फलं तदुच्यते दुःखमिति विपच्यमानस्य ।। ४५ ।।
હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્યસ્વભાવ જીવ કહ્યો; તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, (ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી, ) છતાં તેમને પુદ્દગલના સ્વભાવ કેમ કહ્યા ? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છે:
રે ! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે, પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪૫.
ગાથાર્થ:- [ અવિધમ્ અપિ =] આઠે પ્રકારનું [ર્મ] કર્મ છે તે [ સર્વ] સર્વ [ પુન્નત્તમચં] પુદ્દગલમય છે એમ [ખિત્ત: ] જિનભગવાન સર્વદેવો [ ધ્રુવન્તિ] કહે છે- [ યસ્ય વિપવ્યમાનસ્ય] જે પકવ થઈ ઉદયમાં આવતા કર્મનું [i] ફળ [તત્] પ્રસિદ્ધ [૬:વસ્] દુઃખ છે [રૂતિ ઉઘ્યતે] એમ કહ્યું છે.
ટીકા:- અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠે પ્રકારનું જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધુંય પુદ્દગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે (એટલે કે કર્મફળ ), અનાકુળતાલક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી, દુઃખ છે. તે દુ:ખમાં જ આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી, જોકે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુદ્દગલસ્વભાવો છે.
ભાવાર્થ:- કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે તેથી દુઃખરૂપ ભાવમાં (-અધ્યવસાનમાં) ચેતનતાનો ભ્રમ ઊપજે છે. ૫રમાર્થે દુ:ખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે તેથી જડ જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com