________________
Version 001.a: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૫ ]
[ ૩૯
* શ્રી સમયસાર ગાથા ૪૫ : મથાળું *
હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્યસ્વરૂપ જીવ કહ્યો; તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. રાગ-દ્વેષ આદિ ભાવો જડ સાથે સંબંધ રાખતા નથી, આત્મા સાથે સંબંધ રાખે છે. ચૈતન્ય સિવાય જડમાં, શરીરાદિમાં તો રાગ દેખાતો નથી. છતાં તેમને પુદ્દગલના સ્વભાવ કેમ કહ્યા ? પ્રશ્નનું રૂપ સમજાયું? કહે છે કે-આ રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ અને સુખ-દુઃખનું ભોગવવું એ તો ચૈતન્યની પર્યાયમાં થાય છે, કાંઈ શરીરાદિ જડમાં થતા નથી. એ ચૈતન્યની ઊંધાઈથી થાય છે. તેથી તે ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યા ? આવી જેને અંતરથી સમજવાની જિજ્ઞાસા છે અને પ્રશ્ન પૂછે છે તેને ઉત્તરરૂપે ગાથા સૂત્ર કહે છેઃ
* શ્રી સમયસાર ગાથા ૪૫ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠે પ્રકારનું જ્ઞાનાવરણાદિ કર્મ છે તે બધુંય પુદ્દગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. શું કહ્યું? આ અધ્યવસાનાદિ ભાવો એટલે પુણ્ય-પાપના ભાવો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભભાવો અને કામ, ક્રોધાદિ અશુભભાવોને ઉત્પન્ન કરનારું કર્મ છે. વ્યવહાર રત્નત્રયનો જે ભાવ છે તે શુભરાગ છે. એ શુભરાગ પોતાનો માને તે જીવ મિથ્યાદષ્ટિ છે. તો એ શુભરાગથી લાભ (ધર્મ) થાય એ વાત જ કયાં રહી? અહીં કહે છે કે શુભભાવ છે તે નિમિત્તરૂપ કર્મના લક્ષે થાય છે અને એ કર્મ પુદ્દગલમય છે એમ સર્વજ્ઞનું વચન છે. ગાથામાં પાઠ છે ને કે ‘બિળા લૈંતિ' ભગવાન સર્વજ્ઞદેવનું આ વચન છે કે વ્રત-અવ્રતના શુભાશુભ ભાવો, હરખ-શોકના ભાવો વગેરે સઘળા ભાવોને ઉત્પન્ન કરનારું કર્મ છે અને તે કર્મ પુદ્દગલમય જડ છે. તે ભાવોને ઉત્પન્ન કરે એવો જીવનો દ્રવ્યસ્વભાવ નથી. જીઓ, કેવી સરસ વાત લીધી છે! ભાઈ! પરની દયા તો તું પાળી શક્તો નથી, પણ પ૨ની દયા પાળવાની (છ કાયના જીવોની રક્ષા કરવાની) જે વૃત્તિ ઊઠે એને ઉત્પન્ન કરનારું કર્મ છે અને તે પુદ્દગલમય છે; તે આત્મસ્વભાવમય નથી, ચૈતન્યસ્વભાવમય નથી. અહાહા! બહુ સૂક્ષ્મ વાત. વીતરાગ જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે. લોકોને સમજમાં ન આવે તેથી વિરોધ કરે, પણ શું થાય?
હવે કહે છે કે વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે દુઃખ છે. કર્મનો વિપાક થતાં, જે પુણ્યપાપના ભાવો થાય છે તે કર્મના ફળપણે અનુભવાય છે અને તે દુ:ખ છે. અરે! લોકોને નિશ્ચયમાર્ગ (સત્યમાર્ગ) છે તે બેસતો નથી અને વ્યવહાર પરંપરા કારણ છે એમ હઠ પકડીને બેસી ગયા છે. પણ ભાઈ, વ્યવહારનો જે શુભરાગ છે તેને ઉત્પન્ન કરનાર તો કર્મ-પુદ્દગલ છે એવું સર્વજ્ઞનું વચન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com