________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ |
[ ૨૦૩
(વસંતતિન) जीवादजीवमिति लक्षणतो विभिन्न ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्। अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं
मोहस्तु तत्कथमहो बत नानटीति।। ४३ ।। नानट्यतां तथापि
(વસંતતિનેT) अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान्नटति पुद्गल एव नान्यः। रागादिपुद्गलविकारविरुद्धशुद्धचैतन्यधातुमयमूर्तिरयं च जीवः।। ४४ ।।
શ્લોકાર્ધઃ- [તિ નક્ષણત:] આમ પૂર્વોક્ત જાદાં લક્ષણને લીધે [ નીવાત નીવર્યુ વિમિનં] જીવથી અજીવ ભિન્ન છે [સ્વયમ્ 37સન્તર્] તેને (અજીવને) તેની મેળે જ (સ્વતંત્રપણે, જીવથી ભિન્નપણે) વિલસતું-પરિણમતું [જ્ઞાની નન:] જ્ઞાની પુરુષ [ અનુમતિ] અનુભવે છે, [ તત] તોપણ [ અજ્ઞાનિન:1 અજ્ઞાનીને [ નિરવધિ-વિનસ્મિત: માં મોદ: તુ] અમર્યાદપણે ફેલાયેલો આ મોહ (અર્થાત્ સ્વપરના એકપણાની ભ્રાન્તિ) [ 5થમ્ નાનટીતિ] કેમ નાચે છે- [ સદરે વત] એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે! ૪૩.
વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે “જો મોહ નાચે છે તો નાચો ! તોપણ આમ જ છે':
શ્લોકાર્થઃ- [શ્મિન બનાવિનિ મદતિ વિવે–નોટ] આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં [વવિમાન પુત: નતિ] વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે, [ન ન્ય:] અન્ય કોઈ નહિ; (અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ; [૨] અને [માં નીવડ] આ જીવ તો [પારિ–પુત્ર– વિછાર–વિરુદ્ધ-શુદ્ધ-ચૈતન્યધાતુમય–મૂર્તિ ] રાગાદિક પુદ્ગલ-વિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.
ભાવાર્થ- રાગાદિ ચિવિકારને (-ચૈતન્યવિકારોને) દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે, કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્યના કહેવાય. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી-મોક્ષ- અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. ૪૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com