________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૩
(મંછાન્તા) इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्य प्रसभविकसव्यक्तचिन्मात्रशक्त्या ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे।। ४५ ।।
હવે, ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતાદ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશમાં મહિમા કરી અધિકાર પૂર્ણ કરે છે:
શ્લોકાર્ધઃ- [ રૂલ્ય] આ પ્રમાણે [ જ્ઞાન– વ–નના-પાટનં] જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને [ નાયિત્વા] નચાવીને [ યાવત] જ્યાં [ નીવાનીવો] જીવ અને અજીવ બને [છુટ-વિધટન ત વ યાત:] પ્રગટપણે જુદા ન થયા, [ તાવત્] ત્યાં તો [ જ્ઞાતૃદ્રવ્ય] જ્ઞાતાદ્રવ્ય, [ Bરસમ-વિસ–વ્ય$–વિન્માત્રીયા] અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્માત્રશક્તિ વડે [ વિશ્વે વ્યાય] વિશ્વને વ્યાપીને, [ સ્વયમ્ ] પોતાની મેળે જ [ તિરસાત્] અતિ વેગથી [ સર્વે:] ઉગ્રપણે અર્થાત્ અત્યંતપણે [ વારો] પ્રકાશી નીકળ્યું.
ભાવાર્થ:- આ કળશનો આશય બે રીતે છે:
ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યાં જીવ અને અજીવ બને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો-સમ્યગ્દર્શન થયું. (સમ્યગ્દષ્ટિ આત્મા શ્રુતજ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે અને નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે, માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું.) એક આશય તો એ પ્રમાણે છે.
બીજો આશય આ પ્રમાણે છે: જીવ-અજીવનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદો પડયા પહેલાં અર્થાત જીવનો મોક્ષ થયા પહેલાં, ભેદજ્ઞાન ભાવતાં ભાવતાં અમુક દશા થતાં નિર્વિકલ્પ ધારા જામી-જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો; અને તે શ્રેણિ અત્યંત વેગથી આગળ વ વધતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. પછી અઘાતીકર્મનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન થયું. જીવ-અજીવના ભિન્ન થવાની આ રીત છે. ૪૫.
ટીકાઃ- આ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયા.
ભાવાર્થ- જીવ-અજીવ અધિકારમાં પહેલાં રંગભૂમિસ્થળ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્ય એમ કહ્યું હતું કે નૃત્યના અખાડામાં જીવ-અજીવ બન્ને એક થઈને પ્રવેશ કરે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com