________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૩
(શાર્વત્રવિક્રીડિત) वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः। इत्यालोच्य विवेचकैः समचितं नाव्याप्यतिव्यापि वा व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्।। ४२ ।।
શ્લોકાર્થ:- [ યત: નીવ: રિસ્ત દેવા ] અજીવ બે પ્રકારે છે– [વશે: સહિત:] વર્ણાદિસહિત [તથા વિરહિત] અને વર્ણાદિરહિત; [તત:] માટે [કમૂર્તત્વ ઉપારચ] અમૂર્તપણાનો આશ્રય કરીને પણ (અર્થાત્ અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ ) [ નીવર્ચ તત્ત્વ] જીવના યથાર્થ સ્વરૂપને [ નમતુ ન પશ્યતિ] જગત દેખી શક્યું નથી - [તિ કીનો...] આમ પરીક્ષા કરીને [વિવે] ભેદજ્ઞાની પુરુષોએ [ન વ્યાપિ અતિવ્યાપિ વા] અવ્યાતિ અને અતિવ્યાતિ દૂષણોથી રહિત [ચૈતન્યમ્] ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે [ સમુચિત] તે યોગ્ય છે. [વ્ય$] તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે, [વ્યતિ–નીવ-તત્ત્વમ્] તેણે જીવના યથાર્થ
સ્વરૂપને પ્રગટ કર્યું છે અને [કવનં] તે અચળ છે-ચળાચળતા રહિત, સદા મોજૂદ છે. [માનચેતી] જગત તેનું જ અવલંબન કરો! (તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે.)
ભાવાર્થ:- નિશ્ચયથી વર્ણાદિભાવો-વર્ણાદિભાવોમાં રાગાદિભાવો આવી ગયા-જીવમાં કદી વ્યાપતા નથી તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ; વ્યવહારથી તેમને જીવનમાં લક્ષણ માનતાં પણ અવ્યાતિ નામનો દોષ આવે છે કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. માટે વર્ણાદિભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું જ નથી.
અમૂર્તપણું જોકે સર્વ જીવોમાં વ્યાપે છે તો પણ તેને જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે, કારણ કે પાંચ અજીવ દ્રવ્યોમાંના એક પુદ્ગલ દ્રવ્ય સિવાય ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર દ્રવ્યો અમૂર્ત હોવાથી, અમૂર્તપણું જીવમાં વ્યાપે છે તેમ જ ચાર અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે; એ રીતે અતિવ્યાતિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી.
ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યામિદોષથી રહિત છે, અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી અતિવ્યાપ્તિદોષથી રહિત છે; વળી તે પ્રગટે છે; તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. ૪૨.
હવે, “જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તોપણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે?'—એમ આચાર્ય આશ્ચર્ય તથા ખેદ બતાવે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com