________________
Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૮ ]
तर्हि को जीव इति चेत्
(અનુન્નુમ્ )
अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फुटम्। जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते ।। ४१ ।।
[ ૨૦૧
માટે રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું.
ભાવાર્થ:- શુદ્ધદ્રવ્યાર્થિક નયની દૃષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. પરિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, જોકે ચૈતન્ય જેવા દેખાય છે તોપણ, ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશૂન્ય છે-જડ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે તેથી પણ તેઓ અચેતન છે, ચેનત નથી.
પ્રશ્ન:- જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? પુદ્દગલ છે? કે અન્ય કાંઈ છે?
ઉત્ત૨:- પુદ્દગલકર્મપૂર્વક થતાં હોવાથી તેઓ નિશ્ચયથી પુદ્દગલ જ છે કેમ કે કા૨ણ જેવું જ કાર્ય થાય છે.
આ રીતે એમ સિદ્ધ કર્યું કે પુદ્દગલકર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પુદ્દગલ છે.
હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? તેના ઉત્તરરૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્થ:- [અનાવિ] જે અનાદિ છે અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, [અનન્તમ્ ] જે અનંત છે અર્થાત્ કોઈ કાળે જેનો વિનાશ નથી, [ચત્તતં] જે અચળ છે અર્થાત્ જે દી ચૈતન્યપણાથી અન્યરૂપ-ચળાચળ-થતું નથી, [ સ્વસંવેદ્યમ્] જે સ્વસંવેધ છે અર્થાત્ જે પોતે પોતાથી જ જણાય છે [g] અને [[] જે પ્રગટ છે અર્થાત્ છૂપું નથી-એવું જે [રૂવં ચૈતન્યસ્] આ ચૈતન્ય [૩ઘ્વ: ] અત્યંત૫ણે [ વવાયતે] ચકચકાટ પ્રકાશી રહ્યું છે, [ સ્વયં નીવ: ] તે પોતે જ જીવ છે.
ભાવાર્થ:- વર્ણાદિ અને રાગાદિ ભાવો જીવ નથી પણ ઉપર કહ્યો તેવો ચૈતન્યભાવ તે જ જીવ છે. ૪૧.
હવે, ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કાવ્ય દ્વારા સમજાવે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com