________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
ભેદ છે એ એની પર્યાયમાં છે તથાપિ તે આત્મભૂત નથી, આત્મા નથી. જે ભાવો-રંગ-રાગ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવો-નીકળી જાય છે તે આત્મા કેમ હોય? પુદ્ગલના સંગે થતા એ બધાય ભાવો પુગલના જ છે. ઝીણી વાત, ભાઈ ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે.
લોકો તો ભગવાનની ભક્તિ-પૂજા કરે, બહારથી વ્રતાદિ પાળે અને જીવોની દયા પાળે એને ધર્મી માને છે. પણ બાપુ! ધર્મ જુદી ચીજ છે. ધર્મ તો વીતરાગભાવ છે. રાગાદિ એ કોઈ વીતરાગનો માર્ગ નથી. ભાઈ ! પરની દયા તો કોઈ પાળી શક્યું જ નથી. છતાં હું પરની દયા પાળું છું એવી માન્યતા એ મિથ્યાત્વ છે. તથા જે દયાનો શુભભાવ આવ્યો તે જીવનો સ્વભાવ નથી પણ તે પુદ્ગલથી રચાયેલો ભાવ છે એમ અહીં કહે છે. એ દયાનો જે ભાવ છે તે રાગ છે અને રાગ છે તે નિશ્ચયથી હિંસા છે. શુભભાવ એ સાચી દયા નથી, ભાઈ !
પ્રશ્ન:- તો સાચી દયા શું છે?
ઉત્તર- ભાઈ ! શુદ્ધ ચૈતન્યમય ત્રિકાળી ધ્રુવસ્વરૂપ ભગવાન આત્માના લક્ષે જે શાન્તિ અને વીતરાગતાના નિર્મળ પરિણામ ઉત્પન્ન થાય અને ત્યારે રાગની ઉત્પત્તિ જ ન થાય તેને પરમાત્મા સાચી દયા અને અહિંસા કહે છે. પુરુષાર્થ સિદ્ધયુપાય (શ્લોક ૪૪)માં આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ એમ કહ્યું છે કે-જે રાગ ઉત્પન્ન થાય છે તે, ચાહે તો દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો હો કે વ્રતાદિના પાલનનો હો, હિંસા છે. તથા અહીં તેને પુદ્ગલનું કાર્ય કહ્યું છે. અહાહા ! એ રાગાદિ ભાવો આનંદઘનસ્વરૂપ ચૈતન્યના નાથ ભગવાન આત્માનું કાર્ય નથી, પણ એ પુદ્ગલની જ રચના છે એમ હું જીવો! તમે જાણો.
આનંદઘનસ્વરૂપ ભગવાન આત્મા છે તો એનું કાર્ય આનંદ આવે તે છે. વીતરાગસ્વરૂપ પ્રભુ આત્મા છે તો તેનું કાર્ય વીતરાગતા આવે એ છે. પરંતુ દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ-રાગ ઊઠે એ આત્માનું કાર્ય નથી. એ તો પુદગલનું કાર્ય છે. જેવું કારણ હોય એવું જ કાર્ય થાય એમ અહીં સિદ્ધ કરવું છે. હવે પછી ક્ન-કર્મ અધિકાર લેવો છે તેથી તેના ઉપોદ્ઘાતરૂપે અહીંથી શરૂ કરે છે કે કારણ અને કાર્ય બન્ને અભિન્ન હોય છે. અહાહા! શું શૈલી છે! પુદ્ગલ કરણ છે અને ભેદ-રાગાદિ તેનું (પુદ્ગલનું) કાર્ય છે. તેવી રીતે ભગવાન આત્મા કરણ છે અને જ્ઞાતા-દરાના પરિણામ, આનંદના પરિણામ એ એનું કાર્ય છે. રાગ એ આત્માનું કર્મ નથી, એ પુદગલનું કર્મ છે. અહા ! આખી જિંદગી ધર્મ માનીને વ્રતાદિ પાળવામાં ગાળી હોય એને માટે પૂર્વ-પશ્ચિમનો ફેર લાગે એવી આ આશ્ચર્યકારી વાત છે. પરંતુ પ્રભુ! ભગવાન જિનેશ્વરદેવે ધર્મસભામાં જે કહેલી વાત છે તે જ આ વાત છે.
અહાહા ! જેમ સોનાના મ્યાનને સોનાનું મ્યાન કહેવાય છે પણ તલવાર નહીં, તેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com