SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૬૫-૬૬ ] [ ૧૮૧ માનનાર ભ્રમણાને પંથે છે અને તેથી સંસાર-પરિભ્રમણના પંથે છે. દષ્ટિનો વિષય જે આત્મવસ્તુ છે એ તો અખંડ અભેદ એકરૂપ વિજ્ઞાનઘનસ્વરૂપ ધ્રુવ ચૈતન્યમય વસ્તુ છે. તેને ભેજવાળો કે રાગવાળો કે સંયોગવાળો માનવો એ મિથ્યાદર્શન છે. સોનાથી બનેલા મ્યાનને લોકો જેમ સોનું જ દેખે છે તેને પુગલના કારણે બનેલા પુણ્ય-પાપ, ભેદ, આદિ ભાવોને જ્ઞાની જડ પદગલમય જ દેખે છે. ધર્મી એને કહીએ જે રંગ-રાગ અને ભેદના ભાવોને પોતાની ચીજ માને નહિ. જેણે ભેદથી અને દયા, દાન આદિ શુભરાગથી ભિન્ન એવા નિજ પૂર્ણાનંદના નાથને દષ્ટિમાં લીધો છે તેણે આત્માને સમ્યક પ્રકારે જેવો છે તેવો જામ્યો છે અને પ્રતીતિમાં લીધો છે. ભાવાર્થ એમ છે કે શરીર, મન, વાણી, ઇન્દ્રિય, પુષ્ય, પાપ, ઇત્યાદિ સર્વ વર્ણાદિથી માંડી ગુણસ્થાન પર્વતના ભાવો પુદ્ગલથી બનેલા છે માટે તેઓ પુદ્ગલ જ છે, જીવ નથી. વળી બીજો કળશ કહે છે: * સમયસાર કળશ ૩૯ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ભગવાન સર્વજ્ઞદેવ કહે છે કે અહો જ્ઞાની જનો! “રૂટું વMવિસામયન’ આ વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો છે તે બધાય “ ચ પુ ચ દિ નિમ્' એક પુદ્ગલની જ રચના “વસ્તુ' જાણો. આકરી વાત છે, ભાઈ ! જે કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવને પોતાના કલ્યાણનું કારણ માને છે તે અજીવને જીવનું કારણ માને છે. કારણ કે એ શુભભાવ સધળાય પુદ્ગલમય છે. અજ્ઞાનીએ અજીવને જીવનું કાર્ય માન્યું છે તેથી તેણે જીવનું સ્વરૂપ અજીવમય જ માન્યું છે, કેમકે કારણ અને કાર્ય અભિન્ન હોય છે. આગળની ગાથામાં આવી ગયું કે માર્ગમાં ચાલતો સંઘ થોડીવાર માર્ગમાં ઊભો હોય અને લૂંટાય તો, લૂંટાય છે તો સંઘના યાત્રીઓ છતાં “માર્ગ લૂંટાય છે” એમ કહેવાય છે. તેવી રીતે ભગવાન આત્મા અનાદિ-અનંત ધ્રુવ ચૈતન્યમૂર્તિ એકરૂપ અભેદ છે. તેમાં એક સમય પૂરતો દયા, દાન, વ્રતાદિના રાગનો તથા ગુણસ્થાન આદિ ભેદનો આધાર દેખીને (એક સયમનો જ આધાર હોં) તેને વ્યવહારથી જીવના કહ્યા છે. પરંતુ એ બધા જીવસ્વરૂપચૈતન્યસ્વરૂપ છે એમ માનવું તે મિથ્યાત્વ છે. પ્રશ્ન:- રાગાદિને સ્વભાવ કહ્યો છે ને? ઉત્તર- પર્યાયમાં એ રાગાદિ ભેદ છે અને રાગાદિ થવા એ પર્યાયસ્વભાવ છે માટે એને સ્વભાવ કહ્યો છે. પણ તે ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ નથી. અરે ! એ વિભાવસ્વભાવ પરના કારણે ઊભી થયેલી દશા છે. એ જીવને મહા કલંક છે. અહીં તો જીવ કોને કહીએ એની વાત ચાલે છે. અહાહા! વિજ્ઞાનઘન-ચૈતન્યઘનપૂર્ણઘન સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે તેને અમે જીવ કહીએ છીએ. આ જે રાગાદિના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008284
Book TitlePravachana Ratnakar 03
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy