________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૯
વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી (કયાં સુધી) અપ્રતિબદ્ધ છે તે કહો. તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે:
कम्मे णोकम्मम्हि य अहमिदि अहकं च कम्म णोकम्म। जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव।।१९ ।।
कर्मणि नोकर्मणि चाहमित्यहकं च कर्म नोकर्म। यावदेषा खलु बुद्धिरप्रतिबुद्धो भवति तावत्।।१९ ।।
નોકર્મ-કર્મે “હું”, હુંમાં વળી “કર્મ ને નોકર્મ છે, -એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯.
ગાથાર્થઃ- [ યાવત] જ્યાં સુધી આ આત્માને [ ળિ] જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ [૨] અને [ નોળિ ] શરીર આદિ નોકર્મમાં [૬] “આ હું છું” [૨] અને [ $ ર્મ નોર્મ રૂતિ] હુંમાં (-આત્મામાં) “આ કર્મ-નોકર્મ છે – [gષા રહેતુ વૃદ્ધિઃ] એવી બુદ્ધિ છે, [ તાવત] ત્યાં સુધી [ કપ્રતિવુદ્ધ: ] આ આત્મા અપ્રતિબુદ્ધ [ ભવતિ] છે.
ટીકાઃ- જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત થયેલ પુદ્ગલના સ્કંધોમાં “આ ઘડો છે' એમ, અને ઘડામાં “આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવો તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત પુદ્ગલ-સ્કંધો છે” એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે, તેવી રીતે કર્મ-મોહ આદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ-શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેઓ (બધાં) પુદ્ગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે-તેમનામાં “આ હું છું” એમ અને આત્મામાં “આ કર્મ-મોટું આદિ અંતરંગ તથા નોકર્મ-શરીર આદિ બહિરંગ, આત્મ-તિરસ્કારી (આત્માનો તિરસ્કાર કરનારા ) પુગલ-પરિણામો છે” એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબદ્ધ છે; અને જ્યારે કોઈ વખતે, જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com