________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
(માલિની) कथमपि हि लभन्ते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा। प्रतिफलननिमग्नानन्तभावस्वभावैMकुरवदविकाराः सन्ततं स्युस्त एव।। २१ ।।
પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા ( જ્ઞાતાપણું) જ છે અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદવિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ (આત્મા) પ્રતિબદ્ધ થશે.
ભાવાર્થ- જેમ સ્પર્ધાદિમાં પુદ્ગલનો અને પુગલમાં સ્પર્ધાદિનો અનુભવ થાય છે અર્થાત બન્ને એકરૂપ અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને, કર્મ-નોકર્મમાં આત્માની અને આત્મામાં કર્મ-નોકર્મની ભ્રાંતિ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ ભાસે છે, ત્યાં સુધી તો તે અપ્રતિબદ્ધ છે; અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ-નોકર્મ પુદ્ગલનાં જ છે ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે “જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે, તે પ્રમાણે “કર્મ-નોકર્મ પોતાના આત્મામાં નથી પઠાં; આત્માની જ્ઞાન-સ્વચ્છતા એવી જ છે કે જેમાં શેયનું પ્રતિબિંબ દેખાય; એ રીતે કર્મ-નોકર્મ જ્ઞય છે તે પ્રતિભાસે છે”—એવો ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માને કાં તો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે.
હવે, આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ ] જે પુરુષો [ સ્વત: વા ન્યત: વા] પોતાથી જ અથવા પરના ઉપદેશથી [ 4થમ કપિ દિ] કોઈ પણ પ્રકારે [એવિજ્ઞાનમૂનામ] ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે એવી [માનિતમ્] અવિચળ (નિશ્ચળ) [મનુભૂતિમ] પોતાના આત્માની અનુભૂતિને [ નમન્ત ] પામે છે, [ તે ઈવ] તે જ પુરુષો [અરવલ્] દર્પણની જેમ [પ્રતિ –નિમ–મનન્ત–ભાવ-સ્વમાવૈ.] પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી [સત્તi] નિરંતર [વિIST:] વિકારરહિત [:] હોય છે, - જ્ઞાનમાં જે શેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. ૨૧.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com