________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭-૧૮
હવે, આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દષ્ટાંતથી કહે છે:
जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि। तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण।। १७ ।। एवं हि जीवराया णादव्वो तह य सद्दहेदव्यो। अणुचरिदव्यो य पुणो सो चेव दु मोक्खकामेण।। १८ ।।
यथा नाम कोऽपि पुरुषो राजानं ज्ञात्वा श्रद्दधाति। ततस्तमनुचरति पुनरर्थार्थिकः प्रयत्नेन।।१७ ।।
एवं हि जीवराजो ज्ञातव्यस्तथैव श्रद्धातव्यः। अनुचरितव्यश्च पुनः स चैव तु मोक्षकामेन।। १८ ।।
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭.
જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮.
ગાથાર્થ:- [ યથા નામ] જેમ [ 5: ]િ કોઈ [અર્થાર્થવ: પુરુષ: ] ધનનો અર્થી પુરુષ [રાનાન] રાજાને [ જ્ઞાત્વા ] જાણીને [શ્રદ્ધાતિ] શ્રદ્ધા કરે છે, [તત: પુન:] ત્યાર બાદ [તં પ્રયત્નન અનુવરતિ] તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત્ તેની સુંદર રીતે સેવા કરે છે, [ પર્વ દિ] એવી જ રીતે [ મોક્ષાન] મોક્ષની ઈચ્છાવાળાએ [નીવર: ] જીવરૂપી રાજાને [જ્ઞાતવ્ય: ] જાણવો, [પુન: ૨] પછી [ તથા ઈવ] એ રીતે જ [ શ્રદ્ધાંતવ્ય: ] તેનું શ્રદ્ધાન કરવું [તુ ૨] અને ત્યાર બાદ [સ ઇવ અનુઘરિતવ્ય:] તેનું જ અનુચરણ કરવું અર્થાત અનુભવ વડે તન્મય થઈ જવું.
ટીકા:- નિશ્ચયથી જેમ કોઈ ધન-અર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે કે “આ અવશ્ય રાજા જ છે, તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે અને ત્યાર પછી જ તેનું જ અનુચરણ કરે, સેવન કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com