________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ સમયસાર પ્રવચન
હવે આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે. ગાથા ૧૪ માં સમ્યગ્દર્શનની વાત હતી, ગાથા ૧૫ માં સમ્યજ્ઞાનની વાત કરી, અને ગાથા ૧૬ માં દર્શન-જ્ઞાનચારિત્ર ત્રણેય લે છે. આ કળશ ૧૬ નો ઉપોદઘાત છે.
* કળશ ૧૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘ષ: જ્ઞાનધન: ત્મિા' આ (પૂર્વકથિત) જ્ઞાનઘનસ્વરૂપ આત્મા છે. જેમ પહેલાં ધી” એવાં આવતાં કે શિયાળાના દિવસોમાં અંદર આંગળી તો પ્રવેશ ન પામે પરંતુ તાવેથો પણ વળી જાય. (પ્રવેશ પામે નહિ). એમ ભગવાન આત્મા અંદરમાં જ્ઞાનઘન છે. તેમાં શરીર, વાણી કે કર્મ તો પ્રવેશી શક્તા નથી પરંતુ દયા, દાન આદિના વિકલ્પો કે વર્તમાન પર્યાય પણ એમાં પ્રવેશ પામતી નથી. એવા જ્ઞાનઘન સ્વરૂપ આત્માને “સિદ્ધિન ૩મીખુfમ:' સ્વરૂપની પ્રાપ્તિના ઇચ્છુક પુરુષોએ “સાધ્યરાધ ભાવેન દ્વિધા' સાધ્યસાધક ભાવના ભેદથી બે પ્રકારે, “પ: નિત્યમ સમુપાચતા' એક જ નિત્ય સેવવા યોગ્ય છે; તેનું સેવન કરો. શું કહ્યું? જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની પૂર્ણ સિદ્ધ પર્યાય એ સાધ્ય છે અને વર્તમાનમાં સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા એ સાધક છે. જ્ઞાયકભાવના (આત્મદ્રવ્યના) બે ભેદજ્ઞાનની પૂર્ણતાનો ભાવ એ સાધ્ય અને અપૂર્ણ સમ્યજ્ઞાનરૂપ પરિણતિ એ સાધક. વચમાં દયા, દાન, આદિ વિકલ્પો થાય એ કાંઈ સાધક નથી, તથા એનાથી મુક્તિ પણ પ્રાપ્ત થતી નથી. આ રીતે સાધ્ય-સાધક ભાવના ભેદથી બે પ્રકારે એક જ આત્મા નિત્ય સેવન કરવા યોગ્ય છે. પ્રકાશનો પૂંજ જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા પોતે જ સાધક ભાવરૂપ થઈને પોતે જ સાધ્ય થાય છે, વચમાં કોઈ રાગાદિની-વ્યવહારરત્નત્રયના પરિણામની એને મદદ નથી.
જ્ઞાનીની વાત સાંભળીને કેટલાક અજ્ઞાની લોકો પણ હવે એમ કહેવા લાગ્યા છે કે અમોને અહીં પણ આત્માના લક્ષે ઉપવાસાદિ થાય છે. પરંતુ જેઓ કુદેવ-કુગુરુકુશાસ્ત્રને માને છે કે જે મિથ્યાત્વ છે અર્થાત્ જ્યાં સમ્યગ્દર્શનનાં ઠેકાણાં પણ નથી ત્યાં આત્માનું લક્ષ કયાંથી હોય? જેને જ્ઞાન અને દર્શન પૂર્ણ પ્રાપ્ત થઈ ગયાં છે એવા અરિહંત સર્વજ્ઞ પરમાત્મા દેવ છે. તે સર્વ દોષોથી રહિત વીતરાગ છે. એના શરીરની દશા એવી છે કે તેમને સુધા, તૃષા કે રોગ આદિ દોષ હોતા નથી. તથા સાચા નિગ્રંથ ગુરુ એને કહે છે કે જે મહાવ્રતાદિના વિકલ્પથી ભિન્ન પડીને ત્રણ કષાયના અભાવપૂર્વક સમ્યગ્દર્શન-શાન સહિત ચારિત્રની રમણતામાં ઝૂલે છે. આવું યથાર્થ જાણ્યા વિના ભગવાનને રોગ આદિ થાય છે એમ માને તથા જ્યાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની પણ ખબર નથી અને આત્માના લક્ષે કોઈ વાત (સાધના) હોઈ શકે નહીં. ઝીણી વાત છે, ભાઈ ! આ તો જન્મ-મરણનો અંત કરવાની વાત છે.
અહીં કહે છે કે આત્મા ચૈતન્યઘન પિંડ છે. એની નિર્વિકલ્પ શ્રદ્ધા, સ્વસંવેદન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com