SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ર૬ ] [ ૧૦૧ રૂપથી લોકોનાં મન હરી લે છે, [ રિલૅન ધ્વનિના શ્રવણયો: સાક્ષાત્ સુવં મૃત ક્ષત્ત:] દિવ્યધ્વનિ-વાણીથી (ભવ્યોના ) કાનોમાં સાક્ષાત્ સુખઅમૃત વરસાવે છે અને [અણસEશ્વનક્ષણથST] એક હજારને આઠ લક્ષણોને ધારણ કરે છે, એવા છે. ૨૪. -ઈત્યાદિ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ છે તે બધીયે મિથ્યા ઠરે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પુદ્ગલદ્રવ્ય છે. આ પ્રમાણે અપ્રતિબદ્ધ કહ્યું. હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે તેની ગાથા કહે છે - અજ્ઞાની કહે છે કે તમે બધી આવી વાતો કરો છો તો જે સ્તુતિ કરાય છે તે કોની કરાય છે? શરીરની. માટે શરીર તે આત્મા છે. તમે “શરીર રહિત, શરીર રહિત એમ આટલો બધો પોકાર શાનો કરો છો ? આમ અજ્ઞાની જીવ સામી દલીલ કરે છે. * ગાથા ૨૬ ટીકા ઉપરનું પ્રવચન * “જે આત્મા છે તે જ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ આ શરીર છે.” શરીર અને આત્મા બને એક જ છે. વળી તમે જુદા જુદા કહો છો, પણ એ અમને બેસતું નથી. જો એમ ન હોય તો તીર્થંકર-આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય. તે સ્તુતિ આ પ્રમાણે છે:-(આમ અજ્ઞાનીએ શાસ્ત્રમાંથી આધાર કાઢયો). * કળશ ૨૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * મહારાજ ! તમે કહો છો કે શરીર અને આત્મા બન્ને જુદા છે પણ તમારા જ શાસ્ત્રમાં શરીરની સ્તુતિથી ભગવાનની સ્તુતિ કરી છે. જેમ કે: તે તીર્થેશ્વર: સૂર: વન્યા” તે તીર્થંકર-આચાર્યો વાંદવાયોગ્ય છે. કેવા છે તે? “જે જ્યા વ વિશ: નપત્તિ” પોતાના દેહની કાન્તિથી દશે દિશાઓને ધૂએ છેનિર્મળ કરે છે, “યે ઘાના ઉદ્દામમદસ્વિનામ ધામ નિરુન્ધત્તિ” અને પોતાના તેજ વડે ઉત્કૃષ્ટ તેજવાળા સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે. ભગવાનનું શરીર એવું હોય છે કે કેવળજ્ઞાન થતાં તેના રજકણોનું તેજ સૂર્યના તેજથી પણ અધિક થઈ જાય છે. એટલે સૂર્યના તેજથી પણ અધિક દેદીપ્યમાન ભગવાનનું પરમ ઔદારિક શરીર હોય છે. “ રૂપેણ નામન: મુળન્તિ” પોતાના રૂપથી લોકોનાં મન હરી લે છે. તીર્થંકરના શરીરનું રૂપ એવું હોય છે કે લોકોનાં મનને હરી લે છે. “દિવ્યેન ધ્વનિના શ્રવણયો: સાક્ષાત સુરવું અમૃત ફરન્ત:' દિવ્યધ્વનિ-વાણીથી (ભવ્યોના) કાનોમાં સાક્ષાત્ સુખ-અમૃત વરસાવે છે. અને “અણસહસ્ત્રનક્ષMધરા:” એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરે છે–એવા છે. આ બધાં લક્ષણો તો શરીરનાં છે અને તમે તેને ચૈતન્ય ભગવાનની સ્તુતિ કહો છો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008283
Book TitlePravachana Ratnakar 02
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy