________________
૮૦].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે. તેને, અહીં એમ કહે છે કે, સમિતિ ઓલવનાર છે, પણ ઉત્પન્ન કરનાર નથી. લ્યો, અહીં તો આમ કહેવું છે.
પ્રશ્ન:- અંતરમાં આવું શીલ (-ચારિત્ર) પ્રગટ્યું અને સમિતિ પ્રગટ થઈ–શુદ્ધ ગતિ થઈ–તો તે રાગ-વ્યવહારને ઉત્પન્ન કરે ને?
સમાધાન:- ના. રાગ-વિકારની પરિણતિ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે અને આ સમિતિ તો રાગને ઠારનારી છે. | ‘તથા સમસ્ત સુકૃતરૂપી ધાન્યના રાશિને (પોષણ આપીને) સંતોષ દેનારી મેઘમાળા છે.'
સુકૃત એટલે જે કર્તવ્ય (-કાર્ય) નિશ્ચય-શુદ્ધ છે એવી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિરૂપ નિર્મળ પરિણતિ. નિયમે ય ગં ગં તે ળિયH Tળદ્રસારિ’ એવો પાઠ આ નિયમસારની ત્રીજી ગાથામાં છે. તેનો અર્થ એ છે કે નિયમથી જે કરવાલાયક છે તે અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર. અને તે નિર્વિકારી નિર્મળ નિર્વિકલ્પ વીતરાગી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અંદરમાં સુકૃત છે, કર્તવ્ય છે. અહા! “ણિયમેળ ય ગ્ન ળિયH TIMવંસળવરિ’ એટલે અંતરના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર હો, પણ આ વ્યવહાર સમકિત, જ્ઞાન અને ચારિત્ર નહીં. તો, નિયમથી જે કરવાલાયક છે તે બાળસારિત્ત છે. પૂર્ણાનંદસ્વભાવી પ્રભુ આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેની નિર્મળ વીતરાગી પરિણતિ નિશ્ચયથી કરવાલાયક છે. લ્યો, આ નિયમ નિયમથી કરવાલાયક છે. વિવરીયપરિરત્યે વ્યવહારરત્નત્રય—કે જે વિકલ્પરૂપ છે તે—વિપરીત છે અને તેને છોડવા માટે મળવું , સામઢિ વયમાં ખરેખર ‘સાર’ એવું વચન કહ્યું છે.
પ્રશ્ન:- નિયમનો “સાર’ એમ કેમ કહ્યું?
સમાધાન:- રત્નત્રયથી વિપરીતના પરિવાર અર્થે એટલે કે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ છે તેના અભાવ અર્થે ‘સાર” શબ્દ કહેવામાં આવ્યો છે. જુઓ ને અંદરમાં એક-એક શબ્દ કેવો પડ્યો છે!
જુઓ, જેમ સમય એટલે આનંદસ્વરૂપ એવો પ્રભુ આત્મા અને સાર એટલે કર્મના નિમિત્તથી થતા પુણ્ય-પાપના વિકાર રહિત. એટલે કે પુણ્ય-પાપના વિકાર રહિત એવો પૂર્ણાનંદના સ્વભાવવાળો ભગવાન આત્મા છે તેને સમયસાર કહેવાય છે. તેવી રીતે