________________
ગાથા – ૬૧]
પૂર્ણ નિરુપદ્રવ-કલ્યાણરૂપ પરિણતિ તે પૂર્ણ શીવપદ છે. તેની સખી-બહેનપણી તે પરમસિમિત છે. તો કહે છે કે, પૂર્ણ અતંદ્રિય પરમ આનંદદશામય એવી મુક્તિરૂપી કાંતાની સખી પરમસમિતિ છે એમ જાણીને અંતર સ્વરૂપમાં ગતિ કરવી, સ્વભાવનું પરિણમન કરવું. અહા! ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું, તેની ગતિ થવી તે સમિતિ છે. આવી સમિતિને પહેલા જાણીને જે જીવ ભવ અને ભયના કરનારા કંચનકામિનીના સંગને છોડીને...જુઓ, પાઠમાં છે ને? કે હેમરમાત્મ. હેમ=કંચન=સોનું ને રામા=કામિની=સ્ત્રી. જે જીવ સોનું ને સ્ત્રીસ્વરૂપ સંગને છોડીને એટલે કે અસંગતત્ત્વ એવા ભગવાન આત્માના સંગને પામીને અપૂર્વ, સ્વાભાવિક વિલસતા, અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી તેમાં ગતિ કરે છે તે સર્વદા મુક્ત જ છે.
[૬૯
લ્યો, આત્માનો ત્રણ કાળ ને ત્રણ લોકને જાણે એવો ગુણરૂપ ચૈતન્યચમત્કાર સ્વભાવ છે એમ કહે છે. એવા તે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યચમત્કાર સ્વભાવમાં સ્થિત રહીને તેમાં સમ્યક્ ઈતિ કરવી – શુદ્ધ વીતરાગપરિણતિ પ્રગટ કરવી એટલે કે અતીંદ્રિય આનંદની ધારા પરિણમે તેને સમિતિ કહેવામાં આવે છે અને આ સમિતિ મુક્તિરૂપી સ્ત્રીની સખી-બહેનપણી છે.
સમિતિ=સ+ઈતિ=સમ્યક્+ઈતિ(-ગતિ)=સમ્યક્ પ્રકારે ગતિ કરવી—પરિણમવું. આનંદસ્વરૂપ ભગવાન આત્મા અંદર પોતાની દશામાં આનંદ ને શાંતિરૂપે સમ્યક્ષણે ગતિ કરે-પરિણમે તે સમિતિ છે અને તે (સમિતિવૃંત) આત્મા મુક્ત જ છે. જુઓ, આ શૈલી શ્રી અમૃતચંદ્રાચાર્યની ટીકામાં આવે છે કે ‘સાત્તિ મુર્ત્ત વ્ ।’ (કલશ ૧૯૮, સમયસાર). તેમ અહીં પણ શ્રી અમૃતચંદ્રાચાર્યની શૈલી શ્રી પદ્મપ્રભમલધારીદેવે લગભગ વાપરી છે. તેથી આમ કહ્યું કે ‘સર્વા મુ વ્ ।’પૂર્ણ શુદ્ધ ધ્રુવસ્વરૂપ આત્માનું અંદર પરિણતિમાં નિર્મળ ગતિરૂપે (-પર્યાયરૂપે) પરિણમવું તે સમિતિ છે કે જે મુક્તિરૂપી સ્ત્રીની સખી છે. આવું પરિણમન છે તે મુક્ત જ છે એટલે કે તે જીવ મુક્ત જ છે. અહા! જુઓ તો ખરા! વ્યવહારસમિતિની વાત ચાલે છે તોપણ તેમાં આ વાત કરી કે વિકલ્પરૂપ વ્યવહારસમિતિથી પણ તે મુક્ત છે.
‘તે સર્વદા મુક્ત જ છે' એટલે?
કે ત્રિકાળી ચૈતન્ય આત્મા મુક્તસ્વરૂપ છે, આત્માની પૂર્ણ પરિણતિ મુકત છે અને તેની સખી—કે જે શુદ્ધ ધ્રુવ આત્માનું શુદ્ધપણે પરિણમન થવું એવી સમિતિ છે તે