________________
ગાથા – ૬૦]
[૩૯
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૨૦૮ મી ગાથા દ્વારા) કહ્યું છે કે :
“मज्झं परिग्गहो जदि तदी अहमजीवदं तु गच्छेज्ज ।
णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ ॥" (ગાથાર્થ:-) જો પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. હું તો જ્ઞાતા જ છું તેથી (પદ્રવ્યરૂપ) પરિગ્રહ મારો નથી.” વળી (૬૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
(હરિ) त्यजतु भवभीरुत्वाद्भव्यः परिग्रहविग्रहं निरुपमसुखावासप्राप्त्यै करोतु निजात्मनि । स्थितिमविचलां शर्माकारां जगज्जनदुर्लभां न च भवति महच्चित्रं चित्रं सतामसतामिदम् ॥८॥
(શ્લોકાર્થ:-) ભવ્ય જીવ ભવભીપણાને લીધે પરિગ્રહવિસ્તારને છોડો અને નિષ્પમ સુખના *આવાસની પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં અવિચળ, સુખાકાર (સુખમયી) તથા જગતજનોને દુર્લભ એવી સ્થિતિ (સ્થિરતા) કરો. અને આ (નિજાત્મામાં અચળ સુખાત્મક સ્થિતિ કરવાનું કાર્ય) સન્દુરુષને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી, અસપુરુષોને આશ્ચર્યની વાત છે. ૮૦.
શુભોપયોગરૂપ વ્યવહારવ્રત શુદ્ધોપયોગનો હેતુ છે અને શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ છે એમ ગણીને અહીં ઉપચારથી વ્યવહારવ્રતને મોક્ષની પરંપરાહતુ કહેલ છે. ખરેખર તો શુભોપયોગી મુનિને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ જ (શુદ્ધાત્મદ્રવ્યને અવલંબતી હોવાથી) વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધોપયોગનો હેતુ થાય છે અને તે શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ થાય છે. આ રીતે આ શુદ્ધપરિણતિમાં રહેલા મોક્ષના પરંપરાહેતુપણાનો આરોપ તેની સાથે રહેલા શુભોપયોગમાં કરીને વ્યવહારવ્રતને મોક્ષની પરંપરાહતુ કહેવામાં આવે છે. જ્યાં શુદ્ધપરિણતિ જ ન હોય
ત્યાં વર્તતા શુભોપયોગમાં મોક્ષના પરંપરાહેતુપણાનો આરોપ પણ કરી શકાતો નથી, કેમ કે જ્યાં મોક્ષનો યથાર્થ પરંપરાહેતુ પ્રગટ્યો જ નથી – વિદ્યમાન જ નથી ત્યાં શુભોપયોગમાં આરોપ કોનો કરવો ? આવાસ = નિવાસસ્થાન; ઘર, રહેઠાણ; આયતન.