________________
છે. ગાથા - પ૯ છે. હું
द₹ण इत्थिरूवं वांछाभावं णियत्तदे तासु । मेहुणसण्णविवज्जियपरिणामो अहव तुरियवदं ॥५९॥ दृष्ट्वा स्त्रीरूपं वांच्छाभावं निवर्तते तासु । मैथुनसंज्ञाविवर्जितपरिणामोऽथवा तुरीयव्रतम् ॥५९।। સ્ત્રીરૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષભાવનિવૃત્તિ જે, વા મિથુનસંજ્ઞારહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૯.
અન્વયાર્થ:- (સ્ત્રીરૂપં દ) સ્ત્રીઓનું રૂપ દેખીને (તા!) તેમના પ્રત્યે (વચ્છમાવે નિવર્તતે) વાંછાભાવની નિવૃત્તિ તે (અથવા) અથવા (મૈથુનસંજ્ઞાવિવર્નિતપરિણામ:) મૈથુનસંજ્ઞારહિત જે પરિણામ તે (તુરીયવ્રતમ્) ચોથું વ્રત છે.
ટીકા - આ, ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે.
સુંદર કામિનીઓનાં મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઊપજતી કુતૂહલતાનાચિત્તવાંછાના-પરિત્યાગથી, અથવા પુરુષવેદોદય નામનો જે નોકષાયનો તીવ્ર ઉદય તેને લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામથી, બ્રહ્મચર્યવ્રત હોય છે. (હવે ૫૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:)
(મતિની) भवति तनुविभूतिः कामिनीनां विभूतिं स्मरसि मनसि कामिंस्त्वं तदा मद्वचः किम् । सहजपरमतत्त्वं स्वस्वरूपं विहाय व्रजसि विपुलमोहं हेतुना केन चित्रम् ॥७९॥