________________
ગાથા - ૫૭ ]
रागेण व दोसेण व मोहेण व मोसभासपरिणामं । जो पजहदि साहु सया बिदियवदं होइ तस्सेव ॥५७॥ रागेण वा द्वेषेण वा मोहेन वा मृषाभाषापरिणामं ।
यः प्रजहाति साधुः सदा द्वितीयव्रतं भवति तस्यैव ॥५७।। વિષ-રાગ-વિમોહજનિત અષા તણા પરિણામને
જે છોડતા મુનિરાજ, તેને સર્વદા વ્રત દ્વિતીય છે. પ૭. અન્વયાર્થ :- (ાળ વા) રાગથી, ( વી) દ્વેષથી (મોહેન વી) અથવા મોહથી થતા (મૃNTHS પરિણામ) મૃષા ભાષાના પરિણામને (યઃ સાધુ:) જે સાધુ પ્રગતિ) છોડે છે, (તસ્ય જીવ) તેને જ (સવા) સદા (દ્વિતીયવ્રત) બીજું વ્રત (મતિ) છે. ટીકા:- આ, સત્યવ્રતના સ્વરૂપનું કથન છે.
અહીં (એમ કહ્યું છે કે), સત્યનો પ્રતિપક્ષ (અર્થાત્ સત્યથી વિરુદ્ધ પરિણામ) તે મૃષાપરિણામ છે; તે (અસત્ય બોલવાના પરિણામ) રાગથી, દ્વેષથી અથવા મોહથી થાય છે; જે સાધુ-આસન્નભવ્ય જીવ-તે પરિણામને પરિત્યજે છે (-સમસ્ત પ્રકારે છોડે છે), તેને બીજું વ્રત હોય છે. [ હવે ૫૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે : ]
(ાતિની) वक्ति व्यक्तं सत्यमुच्चैर्जनो यः स्वर्गस्त्रीणां भूरिभोगैकभाक् स्यात् । अस्मिन् पूज्यः सर्वदा सर्वसद्भिः सत्यात्सत्यं चान्यदस्ति व्रतं किम् ॥७७॥