________________
ગાથા – પ૬]
[૧૯
ને ત્રસની – દયા પાળવી તે જૈનધર્મ છે એમ નથી. કેમ કે જિનધર્મ તે પરિણામથી દૂર છે. છકાયને હણવાના પરિણામથી તેમ જ તેની દયાના પરિણામથી પણ જૈનધર્મ દૂર છે. લ્યો, આવો જ તેનો સહજ સ્વભાવ છે અને આમ જે સ્વીકારે છે તેણે જૈનધર્મ સાંભળ્યો એમ કહીએ, નહીંતર તેણે જૈનધર્મ સાંભળ્યો નથી.
જુઓને ! આ વ્યવહારચારિત્રનો અધિકાર ચાલે છે છતાં તેમાં એમ કહે છે કે અમે વ્યવહારમાં વર્તતા નથી, અમે તો વીતરાગતામાં – નિશ્ચયમાં વર્તીએ છીએ. (હા), વ્યવહારનું જ્ઞાન કરાવ્યું કે સાવધના ત્યાગના પરિણામ હોય તેને અહિંસાવ્રત કહેવાય. છતાં પણ કહે છે કે તેમાં અમે વર્તતા નથી, અમે તો અમારા સ્વભાવમાં વર્તીએ છીએ. અને તેમાં વર્તતા-વર્તતા જે વ્યવહાર હોય તેનું જ્ઞાન થાય છે. અહા ! આવો વીતરાગમાર્ગ જયવંત વર્તે છે. ધન્ય મારગ! જેમ આત્મતત્ત્વ ત્રિકાળ જયવંત છે તેમ આ (વીતરાગ) પરિણામ પણ જયવંત વર્તે છે એમ કહે છે.
- એ રીતે વ્યવહારચારિત્ર અધિકારની પહેલી ગાથા – ૨૬ મી ગાથા - પૂરી થઈ તથા તેનો આ (૭૬ મો) કલશ પણ પૂરો થયો. એકલું માખણ છે!
ગાથા - ૫૬ / શ્લોક - ૭૬
પ્રવચન નં. NST / ૫૧
પર
તારીખ ૨૧-૬-૭ર ૨૨-૬-૭ર