SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૭૫] [૨૯૧ સાધુ કહીએ. આવા સાધુ જૈન પરમેશ્વર સિવાય બીજા અન્યમતમાં હોતા જ નથી. તેથી ‘ામો તો સવ્વસાહૂળમાં જે આવા (-જૈનના સાચા) સાધુ હોય તે જ બધા આવે. પણ તે સિવાયના ગમે તે ભેખ ધાર્યા હોય તે ન આવે. તથા જૈનના સાચા સાધુમાં અજ્ઞાની મિથ્યાદષ્ટિ પણ—કે જે પુણ્યથી ધર્મ માનનારા છે અને પોતાને વ્યવહારની ક્રિયાના કર્તા માનનારા છે તે પણ—ન આવે. પ્રશ્ન:- પુણ્યને ધર્મ ન માને પણ ઉપાદેય માને તો? સમાધાન - એ તો એની એ માન્યતા થઈ. વીતરાગમૂર્તિ આનંદમય ભગવાન આત્મા જ ઉપાદેય છે. તે સિવાય જે કોઈ વિકલ્પ-રાગ છે તે હેય છે. આવું જે ન માનતા હોય તે મિથ્યાષ્ટિ છે અને તેને જૈન સાધુમાં ગણવામાં આવતા નથી. અહીં જુઓ, કહે છે કે – ગાથામાં પહેલો શબ્દ છે કે – “વાવારવિષ્પમુધા' સાધુ વ્યાપારથી વિમુક્ત છે. અને આવા સાધુ વીતરાગ મારગમાં હોય છે. આ, નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત(લીન) એવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે.” દેખો, કહે છે કે, નિરંતર અખંડિત પરમ તપશ્ચર્યામાં-ચારિત્રમાં - સાધુ લીન છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્મામાં ઉગ્ર પુરુષાર્થથી જે એકાગ્ર થયા તે સાધુ છે. અહા! નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત કહેતાં ઈચ્છા વિનાના અમૃતસ્વરૂપ ભગવાન આત્મામાં લીન છે. જુઓ, સાધુ પંચમહાવ્રતમાં કે ૨૮ મૂળગુણમાં લીન છે એમ નથી કહ્યું. કારણ કે એ પંચમહાવ્રતાદિ તો વિકલ્પ છે, આસ્રવ છે. માટે સાધુ તેમાં લીન હોતા નથી. આવી બહુ આકરી વાત છે! આ તો વસ્તુની સ્થિતિ છે ભાઈ! આ કાંઈ સંપ્રદાય નથી. અહા! આત્મા વીતરાગમૂર્તિ છે. તેના સ્વરૂપમાં જેને નિરંતર અખંડિત પરમ સ્થિરતા-લીનતા થઈ છે તેવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન અહીં છે. ‘(સાધુઓ કેવા હોય છે?) (૧) પરમસંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાલનિરાવરણ નિરંજન પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત બાહ્યવ્યાપારથી વિમુક્ત’. ‘વ્યાપારથી પ્રવિમુક્ત'ની વ્યાખ્યા કરે છે કે સાધુને વિકલ્પનો વ્યાપાર પણ છૂટી ગયો છે. અહા! સાધુ પરમસંયમી મહાપુરુષ હોવાને કારણે પોતાનો ત્રિકાળી પરમ પંચમભાવ – ધ્રુવભાવ છે તેની ભાવનામાં અર્થાત્ ભગવાન આત્માનું જે
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy