________________
છે. ગાથા - ૭૫ છે;
वावारविप्पमुक्का चउन्विहाराहणासयारत्ता । णिग्गंथा णिम्मोहा साहू दे एरिसा होंति ॥७५॥
व्यापारविप्रमुक्ताः चतुर्विधाराधनासदारक्ताः ।
निर्ग्रन्था निर्मोहाः साधवः ईदृशा भवन्ति ॥७५।। નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુકત છે, ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરકત શ્રી સાધુ છે. ૭૫.
અન્વયાર્થ:- (વ્યાપારવિપ્રમુI:) વ્યાપારથી વિમુક્ત (-સમસ્ત વ્યાપાર રહિત), (વર્તીવધારાધનાસવાર:) ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, (નિત્થા:) નિગ્રંથ અને (નિર્મોહ:) નિર્મોહ; – (દશ) આવા, (સાધવ:) સાધુઓ (મવન્તિ) હોય છે.
ટીકા:- આ, નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત (લીન) એવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે.
(સાધુઓ કેવા હોય છે?) (૧) પરમસંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાલનિરાવરણ નિરંજન પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત બાહ્યવ્યાપારથી વિમુક્ત; (૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ આરાધનામાં સદા અનુરક્ત; (૩) બાહ્ય-અભ્યતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે નિગ્રંથ; તથા (૪) સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનાં સમ્યક શ્રદ્ધાન, સમ્યક પરિજ્ઞાન અને સમ્યફ આચરણથી પ્રતિપક્ષ એવાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિહ; આવા, પરમનિર્વાણસુંદરીની સુંદર સેંથીની