SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ છેઆધારના શ્લોક ઉપરનું પ્રવચન કર્યું હવે, બીજનો (-શ્રી વાદિરાજદેવનો) આધાર આપે છે: કેવા હોય છે જૈનના આચાર્ય? કે જેઓ પંચાચારપરાયણ છે.” અંતરના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય – એ પાંચ આચારમાં અર્થાત્ પુણ્ય-પાપના રાગ રહિત અંદરના શુદ્ધ આચરણમાં જેઓ તત્પર છે. આનંદનું ધામ એવા ભગવાન આત્માના પંચ આચારમાં આચાર્ય તત્પર છે. લ્યો, પંચાચાર એ આત્માનું આચરણ છે અને એમાં આચાર્ય તત્પર છે એટલે કે વીતરાગી પરિણતિમાં તત્પર છે એમ કહેવું છે. જેઓ અકિંચનતાના સ્વામી છે. જેમને પરિગ્રહનો એક અંશ – રાગનો અંશ કે કપડાનો કટકોય - નથી એવા જૈનના આચાર્યભગવાન, ભગવાને વર્ણવ્યા છે. અહા! અકિંચનતાના સ્વામી' કહેતાં તેમને બાહ્યમાં નગ્ન દશા હોય છે અને અંદરમાં રાગનો કણ પણ હોતો નથી. જેમણે કાયસ્થાનોને નષ્ટ કર્યા છે.” શુભ-અશુભરાગરૂપ કષાય એટલે કે વિકાર ભાવ છે તેનો જેમણે નાશ કરી નાખ્યો છે અને જેઓ વીતરાગ પરિણતિમાં ઝૂલે છે. પરિણમતા જ્ઞાનના બળ વડે જેઓ મહા પંચાસ્તિકાયની સ્થિતિને સમજાવે છે.” કહે છે કે આ જગતમાં પંચાસ્તિકાય છે. એક કાળદ્રવ્ય સિવાય આત્મા (જીવ), પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એવા પાંચ અસ્તિકાય છે. કાળદ્રવ્યની અતિ છે, પણ કાય (બહુપ્રદેશી) નથી. એટલે અસ્તિકામાં કાળદ્રવ્યને ગમ્યું નથી. તો, આવું પંચાસ્તિકાયનું સ્વરૂપ પરિણમતા જ્ઞાનના બળ વડે (આચાર્ય) સમજાવે છે અર્થાત્ તેઓ એકલી ધારણાથી સમજવતા નથી એમ કહે છે. અહા! આચાર્યદેવને ભગવાન આત્માના આશ્રયે અંદર જ્ઞાનમાં વીતરાગી પરિણમન થઈ ગયું છે અને તે પરિણમતા જ્ઞાનના બળ વડે તેઓ પંચાસ્તિકાયનું સ્વરૂપ સમજાવે છે. તેઓ કાંઈ એકલી વાત કરવા બેઠા છે એમ નથી તેમ જ જે રીતે ભગવાને પંચાસ્તિકાય કહ્યાં છે એની એકલી ધારણા કરી છે અને આચાર્યદવ કહે છે એમ પણ નથી. પરંતુ પંચાસ્તિકાય જગતમાં છે એવું અંદર જ્ઞાનમાં પરિણમન થઈ ગયું છે. એટલે કે જ્ઞાનસ્વરૂપ-ચિદાનંદસ્વરૂપ આત્માના જ્ઞાનનું પરિણમન અંદર થઈ ગયું છે અને તે પરિણમનના બળ વડે આચાર્યદેવ પંચાસ્તિકાયનું કથન કરે છે એમ કહે છે. લ્યો, તેઓએ
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy