________________
ગાથા – ૭૩]
[૨૬૯
એવી રીતે (આચાર્યવર) શ્રી વાદિરાજદેવે કહ્યું છે કે:
| (શાર્દૂત્તવિક્રીડિત) "पंचाचारपरानकिंचनपतिन्नष्ट कषायाश्रमान्
चंचज्ज्ञानबलप्रपंचितमहापंचास्तिकायस्थितीन् । स्फाराचंचलयोगचंचुरधियः सूरीनुदंचद्गुणान्
अंचामो भवदुःखसंचयभिदे भक्तिक्रियाचंचवः ॥" (શ્લોકાર્થ:-) જેઓ પંચાચારપરાયણ છે, જેઓ અકિંચનતાના સ્વામી છે, જેમણે કષાયસ્થાનોને નષ્ટ કર્યા છે, પરિણમતા જ્ઞાનના બળ વડે જેઓ મહા પંચાસ્તિકાયની સ્થિતિને સમજાવે છે, વિપુલ અચંચળ યોગમાં (-વિકસિત સ્થિર સમાધિમાં) જેમની બુદ્ધિ નિપુણ છે અને જેમને ગુણો ઊછળે છે, તે આચાયોને ભક્તિક્રિયામાં કુશળ એવા અમે ભવદુ:ખરાશિને ભેદવા માટે પૂજીએ છીએ.” વળી આ ૭૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
(હરિ) सकलकरणग्रामालंबाद्विमुक्त मनाकुलं स्वहितनिरतं शुद्धं निर्वाणकारणकारणम् । शमदमयमावासं मैत्रीदयादममंदिरं निरुपममिदं वंद्यं श्रीचन्द्रकीर्तिमुनेर्मनः ॥१०४॥
(શ્લોકાર્થ:-) સકળ ઇંદ્રિયસમૂહના આલંબન વિનાનું, અનાકુળ, સ્વહિતમાં લીન, શુદ્ધ, નિર્વાણના કારણનું કારણ (મુક્તિના કારણભૂત શુક્લધ્યાનનું કારણ), *શમદમ-યમનું નિવાસસ્થાન, મૈત્રી-દયા-દમનું મંદિર (ઘર) - એવું આ શ્રીચંદ્રકીર્તિમુનિનું નિરુપમ મન (ચૈતન્યપરિણમન) વંદ્ય છે. ૧૦૪.
* શમ = શાંતિ; ઉપશમ. દમ = ઈંદ્રિયાદિનું દમન, જિતેંદ્રિયતા. યમ = સંયમ.