________________
હું
ગાથા - ૭૩
पंचाचारसमग्गा पंचिंदियदंतिदप्पणिद्दलणा । धीरा गुणगंभीरा आयरिया एरिसा होति ॥७३॥ पंचाचारसमग्राः पंचेन्द्रियदंतिदर्पनिर्दलनाः । धीरा गुणगंभीरा आचार्या ईदृशा भवन्ति ॥७३॥ પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણગંભીર છે, પંચૅકિંગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩.
અન્વયાર્થ:- (પંચાવારસમણT:) પંચાચારોથી પરિપૂર્ણ, (ન્દ્રિયવંતિવનિર્વતના:) પંચેઢિયરૂપ હાથીના મદનું દલન કરનારા, (ધીરT:) ધીર અને (મુખમીરT:) ગુણગંભીર - (કુંદણ:) આવા, (કાવાર્યો:) આચાયો (મત્તિ) હોય છે.
ટીકા:- અહીં આચાર્યનું સ્વરૂપ કહ્યું છે. | (ભગવંત આચાર્યો કેવા હોય છે?) (૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય નામના પાંચ આચારોથી પરિપૂર્ણ; (૨) સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર નામની પાંચ ઈંદ્રિયોરૂપી મદાંધ હાથીના દર્પનું દલન કરવામાં દક્ષ (-પચંદ્રિયરૂપી મદમત્ત હાથીના મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ); (૩-૪) સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર અને ગુણગંભીર–આવાં લક્ષણોથી લક્ષિત, તે ભગવંત આચાયો હોય છે.