________________
ગાથા – ૭૨]
[૨૬૫
જેઓ અનંત છે.” - એ સિદ્ધપર્યાય અનંત છે. આવી ને આવી પર્યાય અંત આવ્યા વિના થયા જ કરશે.
“અવ્યાબાધ છે.” આ સિદ્ધપર્યાયને કોઈ વિઘ્ન કરનાર નથી. લ્યો, સિદ્ધભગવાન અવ્યાબાધ છે એમ કહે છે.
પ્રશ્ન :- સિદ્ધને ધર્માસ્તિકાયે રોક્યા છે કે નહીં?
સમાધાન :- (ના). જો સિદ્ધને ધર્માસ્તિકાયે રોક્યા હોય તો તેઓ અવ્યાબાધ ન રહે.
પ્રશ્ન :- તો પછી તેઓ ઉપર (-લોકની આગળ) કેમ જતા નથી?
સમાધાન :- ભાઈ! સિદ્ધભગવાન લોકનું દ્રવ્ય છે તેથી લોકમાં જ રહે છે. અલોકમાં કેવી રીતે જાય? અહા! તોતિ તિ તો: લોક જ એને કહેવાય કે જ્યાં છે દ્રવ્યો દેખાય. અને જ્યાં છ દ્રવ્યો છે નહિ, પણ એક આકાશ છે તેનું નામ અલોક છે. તો, સિદ્ધભગવાન લોકની ચીજ છે તેથી લોકમાં રહે છે, પણ અલોકમાં જતા નથી. અહા! આવી વાત જુઓ તો ખરા! સર્વજ્ઞ પરમેશ્વરે જે વસ્તુની સ્થિતિ વર્ણવી છે એવી વસ્તુસ્થિતિ બીજે ક્યાંય નથી. ભલે અજ્ઞાની મોટી-મોટી વાતો કરે અને લાખો માણસો ભેગા થાય, તો પણ ધૂળમાંય તેમાં કાંઈ નથી. અહા! સત્ય તો આ છે.
‘ત્રિભુવનતિન - ત્રણ લોકમાં પ્રધાન છે.” સિદ્ધભગવાન ત્રણ લોકનું તિલક છે અર્થાત્ તેઓ લોકાગ્રે બિરાજે છે.
સિદ્ધિતીમત્તિનીશાન - મુક્તિસુંદરીના સ્વામી છે.” મુક્તિરૂપી સુંદરી એટલે પૂર્ણ પવિત્ર જ્ઞાન અને આનંદની દશા. આવી જે સિદ્ધપર્યાય છે તેના સિદ્ધભગવાન સ્વામી છે. મતલબ કે પોતાની નિર્મળ પર્યાયના સિદ્ધભગવાન સ્વામી છે. પ્રશ્ન :- સિદ્ધભગવાન લોકના નાથ (-સ્વામી) કહેવાય છે ને?
સમાધાન :- ભાઈએ તો સિદ્ધભગવાન લોકને જાણે છે તેથી લોકના નાથ કહેવાય છે.) તે સિવાય બીજું કાંઈ નથી (અર્થાત્ ખરેખર તેઓ લોકના નાથ છે નહીં). ‘નમોત્થણ'માં આવે છે ને? કે “લોગનાહાણ, લોગહિઆણં, લોગપઈવાણું, લોગપmઅગરાણ, અભયદયાણ, ચખુદયાણ, મગ્નદયાણ...' વગેરે ઘણા વિશેષણ તેમાં છે. તેમાં તો ઘણું બધું ભર્યું છે, પણ તેના અર્થની લોકોને ખબર નથી. જો કે અમે તો આ બધાના અર્થ સંપ્રદાયમાં કરતા.