________________
૨૫૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ગતિeતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત; (૫) વ્યવહારથી અભૂતપૂર્વ પર્યાયમાંથી (-પૂર્વે કદી નહિ થયેલા એવા સિદ્ધપર્યાયમાંથી) ટ્યુત થવાનો અભાવ હોવાને લીધે નિત્ય'-આવા, તે ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓ હોય છે. | (હવે ૭રમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છે:)
(મતિની) व्यवहरणनयेन ज्ञानपुंजः स सिद्धः त्रिभुवनशिखराग्र ग्रावचूडामणिः स्यात् । सहजपरमचिच्चिन्तामणौ नित्यशुद्धे निवसति निजरूपे निश्चयेनैव देवः ॥१०१॥
(શ્લોકાર્થ:-) વ્યવહારનયથી જ્ઞાનકુંજ એવા તે સિદ્ધભગવાન ત્રિભુવનશિખરની ટોચના (ચૈતન્યઘનરૂપ) નક્કર 'ચૂડામણિ છે; નિશ્ચયથી તે દેવ સહજપરમચૈતન્યચિંતામણિસ્વરૂપ નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ વસે છે. ૧૦૧.
( ર) नीत्वास्तान् सर्वदोषान् त्रिभुवनशिखरे ये स्थिता देहमुक्ताः तान् सर्वान् सिद्धिसिद्धयै निरुपमविशदज्ञानदृक्शक्तियुक्तान् । सिद्धान् नष्टाष्टकर्मप्रकृतिसमुदयान् नित्यशुद्धाननन्तान् अव्याबाधानमामि त्रिभुवनतिलकान् सिद्धिसीमन्तिनीशान् ॥१०२॥
(શ્લોકાર્થ:-) જેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહમુક્ત થઈને ત્રિભુવનશિખરે સ્થિત છે, જેઓ નિરુપમ વિશદ (-નિર્મળ) જ્ઞાનદર્શનશક્તિથી યુક્ત છે, જેમણે આઠ કર્મની પ્રકૃતિના સમુદાયને નષ્ટ કર્યો છે, જેઓ નિત્યશુદ્ધ છે, જેઓ અનંત છે, અવ્યાબાધ છે, ત્રણ લોકમાં પ્રધાન છે અને મુક્તિસુંદરીના સ્વામી છે, તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું નમું છું. ૧૦૨.
૧. ચૂડામણિ = શિખામણિ; કલગીનું રત્ન; ટોચ ઉપરનું રત્ન.