________________
૨૫૦
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
આત્મા પોતાના ઉપર પ્રસન્ન થાય (એવી ભાવના છે તો) તેને ‘ભગવાન મારા ઉપર પ્રસન્ન થાઓ' એમ કહેવામાં આવે છે. આવી વાત છે ભાઈ!
અહા! સર્વજ્ઞ પરમેશ્વર—પરમાત્મા—ભગવાન
તો વીતરાગ છે. તેથી તેઓ કાંઈ કોઈ ઉપર પ્રસન્ન પણ થતા નથી અને અપ્રસન્ન પણ થતા નથી. પણ પોતાના આત્મામાં આનંદ-શાંતિરૂપ પ્રસન્નતા વર્તે છે તેથી જાણે કે ભગવાન પ્રસન્ન છે અર્થાત્ હું પોતે મારા ઉપર પ્રસન્ન છું તો ભગવાન મારા ઉપર પ્રસન્ન છે એમ કહેવામાં આવે છે.
- એ ૭૧ મી ગાથા થઈ. એ ગાથામાં અરિહંતની વાત હતી. હવે ૭૨ મી ગાથામાં સિદ્ધની વાત કરે છે. આ વ્યવહારચારિત્ર અધિકાર છે ને? એટલે એમાં પાંચે પરમેષ્ઠિની વાત કરી છે. તેમ જ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ તથા વ્યવહાર ને નિશ્ચય એમ બન્ને પ્રકારની ત્રણ ગુપ્તિની પણ વાત કરી છે. હવે સિદ્ધની વ્યાખ્યા કરે છે.
ગાથા – ૭૧
શ્લોક
-
૯૬ થી
૧૦૦
પ્રવચન નં. NSS / ૬૩
૬૪
૬૫
તારીખ
૧૦-૭-૭૧
૧૧-૭-૭૧
૧૨-૭-૭૧