________________
૨૪૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
હોય છે એમ કહે છે. અહા! મુનિવરો કહેતા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ જેમને પૂર્ણ વીતરાગતા પ્રગટી છે એવા અરિહંતનાં ચરણમાં નમે છે.
પ્રશ્ન :- એકકોર ભક્તિ હેય છે એમ આપ કહો છો અને અહીંયા....?
સમાધાન :- શું એવી ભક્તિ આવ્યા વિના ન રહે? તે ભક્તિ છે હેય, છતાં પણ આવે કે નહીં? ભક્તિનો વિકલ્પ એ શુભપયોગ છે અને હેય છે, તો પણ આવ્યા વિના રહેતો નથી.
પ્રશ્ન :- શુભભાવનો નિષેધ છે તો આવે છે શા માટે?
સમાધાન :- શુભભાવનો નિષેધ છે એટલે કે એ આદરણીય નથી, છતાં તે “છે' તો ખરો ને? અર્થાત્ જે “છે' તે આદરણીય નથી એમ કહેવું છે ને? માટે શુભભાવ આવે તો ખરી; પણ તે આદરણીય નથી, હેય છે એમ કહે છે.
પ્રશ્ન :- શુભભાવ હેય છે તો શા માટે કરવો?
સમાધાન :- પણ કરવો શું? (-તેને કરવો કે ન કરવો એ પ્રશ્ન જ નથી.) એ શુભભાવ આવ્યા વિના રહેતો જ નથી.
શ્રોતા :- તેને શાસ્ત્રમાં હેય કહે, અગ્નિ સમાન કહે અને છતાં આવે?
પૂજ્ય ગુરુદેવશ્રી:- (હા), તેને અનેક પ્રકારે કહે - અગ્નિ કહે અને ધગધગતા અંગારા પણ કહે. કેમ કે શુભભાવ તે કષાય છે, રાગ છે. છતાં મુનિવરોને પણ શુભભાવ આવે છે, હોય છે અને તેને મુનિ જાણે છે.
આવું જ સ્વરૂપ છે. અહીં કહે છે કે પરમેશ્વર ત્રિલોકનાથ વીતરાગતારૂપ શાંતરસે પૂર્ણ પરિણમી ગયા છે અને એમના ઉપર મુનિવરોને પણ ભક્તિ આવે છે એટલે કે તેમનાં ચરણમાં નમે છે.
‘પ્રાતીનાશપાશ: યમના પાશનો જેમણે નાશ કર્યો છે.” વીનાશ = યમ. યમના પાશનો – બંધનનો ભગવાને નાશ કર્યો છે. એટલે કે એમને હવે કાળનું બંધન રહ્યું નથી એમ કહે છે.