SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ જો કે અત્યારે તો પદ્મપ્રભુ ભગવાન મોક્ષમાં છે, સિદ્ધ છે. તેથી અત્યારે તેમના ચરણોમાં સુરેન્દ્રો નમે છે એવું ક્યાં છે? છતાં લ્યો, પાઠમાં તો એવું આવ્યું છે કે તેમનાં ચરણોમાં સુરેન્દ્રો નમે છે? ભાઈ! જ્યારે શ્રી પદ્મપ્રભુ ભગવાન સમવસરણમાં હતા ત્યારે જે રીતે વિદ્યમાન હતા એ તીર્થંકરદશાને યાદ કરીને સ્તુતિ કરી છે. અને એ રીતે પૂર્ણ તત્ત્વ એવો હું પણ વિદ્યમાન છું, હું પૂર્ણપણે વિદ્યમાન નથી એમ નથી. - આ રીતે (જ્ઞાનમાં લઈને) પોતાના આત્માને પણ યાદ કર્યો છે. અહા! કહે છે કે જેમ તીર્થંકર અત્યારે વિદ્યમાન નથી એમ નથી. પણ તેઓ જાણે કે સાક્ષાત્ બિરાજે છે એમ યાદ કરીને સ્તુતિ કરું છું તેમ ભગવાન આત્મા પણ વર્તમાનમાં એવો ને એવો વિદ્યમાન છે, ધ્રુવ અખંડાનંદ પ્રભુ છે. અને તેમાં હું એકાગ્ર થાઉં છું કે જે મારા મોક્ષની પ્રસિદ્ધિનું કારણ છે. લ્યો, આ રીતે શ્રી પદ્મપ્રભુ ભગવાનની સ્તુતિ વડે આત્માની સ્તુતિ પણ કરી છે. અહા! અહીંયા ત્રીજી લાઈનમાં પાઠ તો એમ છે ને? કે ‘ ગતિ’ - જ્યવંત વર્તે છે, જયવંત છે. જેમનાં પગમાં ઈંદ્રો નમે છે એવા ભગવાન જયવંત છે. એનો અર્થ એ છે કે જેમ ભૂતકાળમાં ભગવાન વિદ્યમાન હતા એવી જ રીતે વર્તમાનમાં પણ જાણે કે તેઓ વિદ્યમાન છે. એવી રીતે, પંચમકાળના મુનિ કહે છે કે, હું પણ અનાદિનો એવો ને એવો વિદ્યમાન ભગવાન આત્મા છું. અને તેની હું સ્તુતિ કરું છું એટલે કે એમાં હું નમું (-ઢળું) છું. આ રીતે શ્રી પદ્મપ્રભુ ભગવાન અરિહંતપદે હતા ત્યારે આવા હતા એમ કહે છે અને તે દશાને યાદ કરીને વિકલ્પથી-વ્યવહારથી સ્તુતિ કરી છે. કેમ કે આ વ્યવહારચારિત્ર અધિકાર છે ને? (અને સાથે-સાથે આત્માની પણ સ્તુતિ કરી છે.) છે શ્લોક - ૯૮ ઉપરનું પ્રવચન છે ચારેય (૯૭, ૮, ૯ અને ૧૦૦મા) શ્લોકમાં ‘કામદેવ' શબ્દ આવે છે. નિતતિપતિવIT: કામદેવનાં બાણને જેમણે જીતી લીધાં છે.” અર્થાત્ જેમણે અતીંદ્રિય આત્મા પ્રગટ કર્યો છે. પાંચે ઈંદ્રિયોના વિષયો તરફની વૃત્તિ કામબાણ છે હોં. તો, ભગવાનને પાંચે ઈંદ્રિયોના વિષયો તરફની વૃત્તિ હણાઈ ગઈ છે. અહા! આનંદમૂર્તિ પ્રભુ આત્માના અતીન્દ્રિય આનંદના પૂર્ણ સ્વાદમાં ભગવાનને કામદેવનાં બાણ
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy