________________
૨૩૪].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
વિકસાવવા માટે સૂર્ય છે. એવી રીતે આ આત્માનો આશ્રય લેતાં ઈંદ્રિયો તરફની વૃત્તિઓ નાશ પામે છે અને આત્માના આશ્રયમાં કમી (-ઓછ૫) રહી જાય તો એવા પુણ્યનો વિકલ્પ ઉત્પન્ન થાય કે તીર્થંકરપણાને પણ પ્રાપ્ત કરાવે. - એવો એ આત્મા છે.
હવે ત્રીજું પદ : “સત્તાસમાન: જેઓ સર્વ ગુણોના સમાજ (-સમુદાય) છે.” પદ્મપ્રભુ ભગવાન સકળ ગુણોના સમાજ છે. લ્યો, આ સમાજ! એવી રીતે આ ભગવાન આત્મા પણ અનંત ગુણોનો સમાજ છે. પોતે જ પ્રભુ આત્મા અનંત ગુણના પીંડરૂપ સમાજ છે અને એને જ અહીંયા આત્મા કહેવામાં આવે છે. અહા! પરમાત્માને સર્વ ગુણોની પર્યાય પ્રગટ છે. માટે અનંત ગુણરૂપ સમાજ-સમુદાય પ્રગટ છે, જ્યારે આત્મામાં તે સમાજ શક્તિરૂપે છે.)
‘સર્વત્પવિનીન: જેઓ સર્વ કલ્પિત (ચિંતિત) દેનાર કલ્પવૃક્ષ છે.” અંદર શ્લોકમાં ‘મવનીઝ’ શબ્દ છે ને? તો, ‘મવની” એટલે પૃથ્વી અને ‘ક’ એટલે ઉત્પન્ન થયેલું. તેથી વિનીગ = પૃથ્વીમાં ઉત્પન્ન થયેલું = કલ્પવૃક્ષ. કહે છે કે ત્રિલોકનાથ ભગવાન સર્વ ચિંતિત દેનાર કલ્પવૃક્ષ છે અને એવી રીતે આ આત્મા પણ – કે જે અનંત જ્ઞાન, આનંદ સંપન્ન છે તે – સર્વ કલ્પિત (ચિંતિત) દેનાર કલ્પવૃક્ષ છે. એટલે કે આત્મામાં એકાગ્ર થાય તો એના સર્વ મનોરથ પૂર્ણ થાય એવો આ આત્મા છે. અરે! અજ્ઞાનીએ ‘આવો આત્મા છે' એમ સાંભળ્યું પણ નથી અને બહારમાં ભક્તિ, પૂજા, વ્રત ને તપાદિ બધી ક્રિયાઓ કરવા માંડી (-કરવા લાગ્યો) છે. ભાઈ! એ બધા વ્રત ને નિયમાદિ તો વિકલ્પ છે. એ વિકલ્પ ખરેખર તો કર્મનું કર્તવ્ય છે, પણ જીવનું સ્વરૂપ છે નહીં. અહીંયા કહ્યું કે આત્મા કલ્પવૃક્ષ છે એટલે કે પોતાની આનંદાદિની પરિણતિને પ્રગટ કરે એવો આત્મા છે.
‘પ્રસ્તદુષ્કર્મવીન: જેમણે દુષ્ટ કર્મના બીજને નષ્ટ કર્યું છે.” ભગવાને કર્મના બીજને તો બાળીને નાશ કર્યું છે.
‘નુતસુરીઝ: જેમનાં ચરણમાં સુરેદ્રો નમે છે.” જેમનાં ‘પદ્ = ચરણકમળમાં, ‘નુત” = નમે છે, “મુરાગ:' = દેવોના ઈદ્રો. સુરેન્દ્રો પણ જેમનાં ચરણકમળમાં નમે છે એવા આ શ્રી પદ્મપ્રભુ ભગવાન છે. અહીંયા અરિહંતપદની વ્યાખ્યા છે ને? તો એમાં શ્રી પદ્મપ્રભુનું સ્મરણ કર્યું છે અને સાથે સાથે એવું જ સ્વરૂપ મારું છે એમ પણ યાદ કર્યું છે.