________________
ગાથા – ૭૧]
[૨૩૩
મૂT: = ક્ + = પૃથ્વીમાં જન્મનાર (જમીનમાં ઉગનાર) = વૃક્ષ. આ શાસ્ત્રના ટીકાકાર પોતે શ્રી પદ્મપ્રભમલધારીદેવ છે. તેથી ચોવીસ તીર્થકરમાંથી શ્રી પદ્મપ્રભુને – કે જેઓ પોતાના નામે છે એમને – યાદ કર્યા છે અને શ્રી પદ્મપ્રભુને યાદ કરીને તેમની સ્તુતિ કરી છે કે શ્રી પદ્મપ્રભુ ભગવાન આવા છે. આનો અર્થ એ પણ છે કે હું આત્મા એવો છું.
“જેઓ કામદેવરૂપી હાથીને (મારવા) માટે સિંહ છે.” અંદર શ્લોકમાં ‘સ્મર શબ્દ છે ને? ‘મર’ એટલે કામદેવ, ઈચ્છા, પાંચ ઇંદ્રિયના વિષય તરફના વલણવાળી વૃત્તિ. ‘ઋરિ’ એટલે હાથી અને ‘મૃRTS’ એટલે સિંહ. તો, કહે છે કે, કેવા છે પ્રભુ ? કે ‘મરઋરિકૃRIષ:' - કામદેવરૂપી હાથીને મારવા માટે સિંહ છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માના અતીંદ્રિય આનંદના આશ્રયે (-દ્વારા) જેણે પાંચ ઇંદ્રિયોના વિષયો તરફની વૃત્તિઓને – કે જે વિકલ્પરૂપ છે તેને – હણી નાખી છે એવા એ ભગવાન સિંહ સમાન છે. અને આ ભગવાન આત્મા પણ એવો જ છે એમ કહેવું છે. કેમ કે પોતે (શ્રી પદ્મપ્રભમલધારિદેવે) પોતાનું નામ નાખીને વાત કરી છે ને? અહા! પાંચ ઈંદ્રિયના વિષયો તરફની વૃત્તિઓનો વ્યય કરવા માટે ભગવાન સિંહ સમાન છે. અહીંયા તો ઉપદેશના વાક્યો છે ને? એટલે ‘વ્યય કરવા માટે – મારવા માટે એમ કહ્યું છે. નહીંતર ખરેખર તો જ્ઞાની વિકારનો વ્યય કરતા નથી. કારણ કે તે જ્યાં સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યાં વિકાર ઉત્પન્ન થતો જ નથી અને તેને વિકારનો વ્યય-નાશ કર્યો’ એમ કહેવામાં આવે છે. શું થાય ? (-બીજી રીતે કેમ કહેવું?) વાતો કરવી ભાષાથી અને વસ્તુ છે ભાષાતીત! સમજાણું કાંઈ?
અહીં કહ્યું કે કામદેવરૂપી હાથીને મારવા માટે ભગવાન સિંહ સમાન છે અને એવી રીતે આ ભગવાન આત્મા પણ અનક્રિય છે. આ આત્મા અનીંદ્રિયસ્વરૂપ છે એટલે કે જેના આશ્રયે ઈંદ્રિય તરફની વૃત્તિઓ નાશ પામે એવો આ આત્મા છે. આ રીતે અનીંદ્રિયસ્વરૂપ શ્રી પદ્મપ્રભુ ભગવાન છે અને એવો જ આ આત્મા પણ છે. સમજાણું કાંઈ?
જેઓ પુણ્યરૂપી કમળને વિકસાવવા) માટે ભાન છે'. શ્લોકમાં ‘ન’ શબ્દ છે ને? અર્થાતુ પાણીમાં ઉત્પન્ન થયેલું કમળ, કેવા છે પરમાત્મા? કે પુણ્યરૂપી કમળને વિકસાવવા માટે ભાનુ છે. પહેલાં બોલમાં ગુણની વાત કરી અને હવે બીજા બોલમાં પુણ્યની વાત કરે છે - બહારની ત્રાદ્ધિ બતાવે છે. કહે છે કે ભગવાન પુણ્યરૂપી કમળને