________________
૨૨૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(શ્લોકાર્થ:-) કામદેવનાં બાણને જેમણે જીતી લીધાં છે, સર્વ વિદ્યાઓના જેઓ પ્રદીપ (-પ્રકાશક) છે, સુખરૂપે જેમનું સ્વરૂપ પરિણમ્યું છે, પાપને (મારી નાખવા) માટે જેઓ યમરૂપ છે, ભવના પરિતાપનો જેમણે નાશ કર્યો છે, ભૂપતિઓ જેમના શ્રીપદમાં (-મહિમાયુક્ત પુનિત ચરણોમાં) નમે છે, ક્રોધને જેમણે જીત્યો છે અને વિદ્વાનોનો સમુદાય જેમની આગળ ઢળી પડે છે, તે (શ્રી પદ્મપ્રભનાથ) જ્યવંત છે. ૯૮.
(મતિની) जयति विदितमोक्षः पद्मपत्रायताक्षः प्रजितदुरितक क्षः प्रास्तकं दर्पपक्षः । पदयुगनतयक्षः तत्त्वविज्ञानदक्षः
कृतबुधजनशिक्षः प्रोक्तनिर्वाणदीक्षः ॥९९॥ (શ્લોકાર્થ:-) પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે, પદ્મપત્ર (-કમળનાં પાન) જેવાં દીર્ઘ જેમનાં નેત્ર છે, *પાપકક્ષાને જેમણે જીતી લીધી છે, કામદેવના પક્ષનો જેમણે નાશ કર્યો છે, યક્ષ જેમના ચરણયુગલમાં નમે છે, તત્ત્વવિજ્ઞાનમાં જેઓ દક્ષ (-ચતુર) છે, બુધજનોને જેમણે શિક્ષા (-શિખામણી આપી છે અને નિર્વાણદીક્ષા જેઓ ઉચ્ચર્યા છે, તે (શ્રી પદ્મપ્રભ જિનેન્દ્ર) જયવંત છે. ૯૯.
| (માતિની) मदननगसुरेशः कान्तकायप्रदेशः पदविनतयमीशः प्रास्तकीनाशपाशः । दूरघवनहुताशः कीर्तिसंपूरिताशः
जयति जगदधीशः चारुपद्मप्रभेशः ॥१००॥ (શ્લોકાર્થ:-) કામદેવરૂપી પર્વતને માટે (અર્થાત્ તેને તોડી નાખવામાં) જેઓ (વજધર) ઈંદ્ર સમાન છે, કાન્ત (–મનોહર) જેમનો કાયપ્રદેશ છે, મુનિવરો જેમનાં ચરણમાં નમે છે, યમના પાશનો જેમણે નાશ કર્યો છે, દુષ્ટ પાપરૂપી વનને (બાળવા)
* કક્ષા = ભૂમિકા; શ્રેણી; સ્થિતિ; પડખું.