________________
ગાથા – ૭૧]
(હવે ૭૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છે:)
(માતિની)
जयति विदितगात्रः स्मेरनीरेजनेत्रः
सुकृतनिलयगोत्र: पंडिताम्भोजमित्रः । मुनिजनवनचैत्रः कर्मवाहिन्यमित्रः सकलहितचरित्रः
૨૨૫
શ્રીસુસીમાસુપુત્ર: ।।૬।।
(શ્લોકાર્થ:-) પ્રખ્યાત (અર્થાત્ પરમૌદારિક) જેમનું શરીર છે, પ્રફુલ્લિત કમળ જેવાં જેમનાં નેત્ર છે, પુણ્યનું રહેઠાણ (અર્થાત્ તીર્થંકરપદ) જેમનું ગોત્ર છે, પંડિતરૂપી કમળોને (વિકસાવવા માટે) જેઓ સૂર્ય છે, મુનિજનરૂપી વનને જેઓ ચૈત્ર છે (અર્થાત્ મુનિજનરૂપી વનને ખિલવવામાં જેઓ વસંતઋતુ સમાન છે), કર્મની સેનાના જેઓ શત્રુ છે અને સર્વને હિતરૂપ જેમનું ચરિત્ર છે, તે શ્રી સુસીમા માતાના સુપુત્ર (શ્રી પદ્મપ્રભ તીર્થંકર) જયવંત છે. ૯૬.
(માતિની) स्मरकरिमृगराजः पुण्यकंजाह्निराजः सकलगुणसमाजः सर्वकल्पावनीजः । स जयति जिनराजः प्रास्तदुष्कर्मबीज: पदनुतसुरराज स्त्यक्त संसारभूज : ।।९७॥
(શ્લોકાર્થ:-) જેઓ કામદેવરૂપી હાથીને (મારવા) માટે સિંહ છે, જેઓ પુણ્યરૂપી કમળને (વિકસાવવા) માટે ભાનુ છે, જેઓ સર્વ ગુણોના સમાજ (-સમુદાય) છે, જેઓ સર્વ કલ્પિત (-ચિંતિત) દેનાર કલ્પવૃક્ષ છે, જેમણે દુષ્ટ કર્મના બીજને નષ્ટ કર્યું છે, જેમનાં ચરણમાં સુરેંદ્રો નમે છે અને જેમણે સંસારરૂપી વૃક્ષનો ત્યાગ કર્યો છે, તે જિનરાજ (શ્રી પદ્મપ્રભ ભગવાન) જયવંત છે. ૯૭.
(માલિની)
जितरतिपतिचापः सर्वविद्याप्रदीपः परिणतसुखरूपः पापकीनाशरूपः । हतभवपरितापः श्रीपदान म्रभूपः स जयति जितकोपः प्रह्वविद्वत्कलापः ॥९८॥