________________
ગાથા – ૬૯].
[૨૧૧
અરે! આવો ચિંતામણિરત્ન ભગવાન આત્મા છે તોપણ એને અજ્ઞાનીએ પામર તરીકે માન્યો છે. જે જીવ ઉલ્લસિત થઈને શુભ કે અશુભભાવમાં રોકણો છે તેને આત્મારૂપી ચિંતામણિ-રત્નની કિંમત નથી.
અહીં કહે છે કે આત્મા ચૈતન્યચિંતામણિ છે તેને પ્રાપ્ત કરીને “અનંત ચતુષ્ટયાત્મકપણા સાથે સર્વદા સ્થિત એવી જીવન્મુકિતને પામે છે.” જે જીવ આત્મામાં પરાયણ છે તેને આવી દશા પ્રાપ્ત થાય છે. એટલે કે તે અનંતચતુષ્ટય સાથે સર્વદા સ્થિત એવી જીવન્મુકિતને પામે છે. જીવન્મુકત થઈ ગયો કહેતાં રાગ-વિકલ્પ, વાણી વગેરેથી મુક્ત થઈ ગયો. તો, કહ્યું કે જે આત્માના સ્વભાવનું ધ્યાન કરે છે તે ધ્યાનીને આવી દશા પ્રગટ થાય છે. મતલબ કે તેને મુક્તિ મળે છે.
આ રીતે આ કલશમાં મોક્ષનો માર્ગ અને તેનું ફળ મોક્ષ એમ બન્ને વાત છે.
પ્રવચન નં. NSS / ૬૨
તારીખ ૯-૭-૭૧
ગાથા - ૬૯ી શ્લોક - ૯૪)