________________
૨૦૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
જન્મ નિરર્થક છે. બીજા જે જીવો જમ્યા છે તે તો મરશે અને વળી પાછા જનમશે. માટે તેમનો જન્મ નિરર્થક છે એમ કહે છે.
ચૈતન્ય વસ્તુ ભગવાન આત્માની અંતરમાં યથાર્થ એકાગ્રતા કરવી તેને સંભાવનાસમ્યક ભાવના કહેવામાં આવે છે અને જે જીવ આવી ભાવના કરે છે તેનો જ જન્મ સંસારમાં સફળ છે એટલે કે તેણે જન્મીને ફરી જનમવું ન પડે એવું કાર્ય કર્યું છે. આ, કાયડુમિની વાત છે ને? તેથી કહે છે કે હવે તેને શરીર જ નહીં મળે, તેનો જન્મ જ નહીં થાય. અંદર વસ્તુ ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે તેનું જેણે ધ્યાન કર્યું – વર્તમાન ધ્યાનની દશાદ્વારા જેણે આત્માને વિષય બનાવ્યો – તેને હવે જન્મ કેવા? તેને આ મળેલો જન્મ સફળ છે અને હવે ફરીને તેને કાયા મળશે નહીં એમ કહે છે. લ્યો, કાયમુતિમાં આ વાત કરી કે તેનો જ જન્મ સંસારમાં સફળ છે.
પહેલાં (ગાથા ૬૬ અને ૬૭ માં) વ્યવહાર મનોગુમિ અને વ્યવહાર વચનગુમિની વાત હતી. (આ ગાથા ૬૮માં વ્યવહાર કાયગુપ્તિની વાત છે અને) હવે (ગાથા ૬૯માં) નિશ્ચય મનોગુમિ અને નિશ્ચય વચનગુમિની વાત કહેશે.
KU
પ્રવચન નં. NSS / ૬૨
તારીખ ૯-૭-૭૧
ગાથા – ૬૮ ) શ્લોક - ૯૯ 5