________________
ગાથા - ૬૯
जा रायादिणियत्ती मणस्स जाणीहि तं मणोगुत्ती । अलियादिणियत्तिं वा मोणं वा होइ वइगुत्ती ॥६९॥ या रागादिनिवृत्तिर्मनसो जानीहि तां मनोगुप्तिम् । अलीकादिनिवृत्तिर्वा मौनं वा भवति वाग्गुप्तिः ॥६९।। મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તે મનગુપ્તિ છે; અલીકાદિની નિવૃત્તિ અથવા મેન વાચાગુપ્તિ છે. ૬૯.
અન્વયાર્થ:- (મનસ) મનમાંથી (ય) જે (TYI[વિનિવૃત્તિઃ) રાગાદિની નિવૃત્તિ (તામુ) તેને (મનોતિમ્) મનોગુપ્તિ (નાની) જાણ. (અતીવિનિવૃત્તિ:) અસત્યાદિની નિવૃત્તિ (વા) અથવા (મૌન વા) મૌન (વાપુતઃ મવતિ) તે વચનગુપ્તિ છે.
ટીકા:- આ, નિશ્ચયનયથી મનોગુપ્તિની અને વચનગુપ્તિની સૂચના છે.
સકળ મોહરાગદ્વેષના અભાવને લીધે અખંડ અદ્વૈત પરમચિટૂપમાં સમ્યફપણે અવસ્થિત રહેવું તે જ નિશ્ચયમનોગુપ્તિ છે. હે શિષ્ય ! તું તેને ખરેખર અચલિત મનોગુપ્તિ
જાણ.
સમસ્ત અસત્ય ભાષાનો પરિહાર અથવા મૌનવ્રત તે વચનગુપ્તિ છે. મૂર્તદ્રવ્યને ચેતનાનો અભાવ હોવાને લીધે અને અમૂર્તદ્રવ્ય ઈદ્રિયજ્ઞાનથી અગોચર હોવાને લીધે બન્ને પ્રત્યે વચનપ્રવૃત્તિ થતી નથી. આ રીતે નિશ્ચયવચનગુપ્તિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.