________________
ગાથા – ૬૮].
[૨૦૩
આવે છે. તેમને પાપ લાગે કે નહીં તે પ્રશ્ન અહીંયા અત્યારે નથી. અહીંયા તો, બીજે જીવ છેદાઈ છે તેમાં બાહ્ય નિમિત્ત કોણ છે તેની વાત છે. તો કહે છે કે, પ્રમત્ત દશાવાળા જીવને ચાલવાનો વિકલ્પ હોય છે. પ્રમત્ત દશામાં જ જીવને ચાલવાનો રાગ હોય ને? અપ્રમત્તદશામાં તો તે અંદરમાં સ્થિર હોય છે. એટલે પહેલાં ગુણસ્થાનથી પ્રમત્તગુણસ્થાન (છઠ્ઠા ગુણસ્થાન) સુધી તેની કાયાનો વ્યાપાર છેદનમાં બાહ્ય નિમિત્ત છે.
મારણનો પણ અંતરંગ હેતુ આંતરિક (નિકટ) સંબંધનો (આયુષ્યનો) ક્ષય છે.” મરણનો અંતરંગ હેતુ અંદરમાં આયુષ્યનો ક્ષય છે. આયુષ્ય પૂર્ણ થતાં મરણ થાય છે. તે સિવાય બાહ્ય કારણથી કોઈ મારી શકે એમ નથી.
“બહિરંગ કારણ કોઈની કાયવિકૃતિ છે.” કાયાનો વ્યાપાર નિમિત્ત થતાં કોઈ મરી જાય તો કાયાનો વ્યાપાર બાહ્ય નિમિત્ત છે. આયુષ્ય પૂર્ણ થાય તે અંતરંગ કારણ (-નિમિત્ત) છે અને કાયાનો વ્યાપાર તે બાહ્ય નિમિત્ત છે.
આકુંચન, પ્રસારણ વગેરેનો હેતુ સંકોચવિસ્તારાદિકના હેતુભૂત સમુદ્રઘાત છે.” –આત્માના પ્રદેશ બહાર નીકળે ત્યારે સમુદ્યાત થાય છે ને? તો તે આકુંચન, પ્રસારણ વગેરેનું કારણ છે.
આ કાયક્રિયાઓની નિવૃત્તિ તે કાયગુમિ છે.” –આ બધાથી નિવૃત્ત થવું અને આત્માના અંતર્ધ્યાનમાં જવું તેનું નામ કાયમુમિ કહેવામાં આવે છે. અહા! આવી કાયમુમિ અત્યારે કોઈ કરી શકે કે ન કરી શકે તે પ્રશ્ન પછી, પરંતુ પહેલાં સમજે તો ખરો કે કાયગૃતિ કોને કહેવી. તો, કહ્યું કે, કાયાના વ્યાપારને તથા વિકલ્પને છોડવો અને અંદર આનંદસ્વરૂપ આત્માના ધ્યાનમાં આવવું તેને કાયમુમિ કહેવામાં આવે છે.
છે શ્લોક - ૯૩ ઉપરનું પ્રવચન ‘કાયવિકારને છોડીને જે ફરીફરીને શુદ્ધાત્માની સંભાવના (સમ્યફ ભાવના) કરે છે, તેનો જ જન્મ સંસારમાં સફળ છે.” લ્યો, કાયવિકારને એટલે કે (કાયસંબંધીના) વિકલ્પને છોડીને જે જીવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આનંદમૂર્તિ પ્રભુ આત્માની ભાવના કરે છે અર્થાત્ તેમાં એકાગ્ર થાય છે તેનો જન્મ સફળ છે. તે સિવાયના બીજા બધાના