________________
૨૦૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(હવે ૬૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:)
(અનુષ્ટમ)
मुक्त्वा कायविकारं यः शुद्धात्मानं मुहुर्मुहुः । संभावयति तस्यैव सफलं जन्म संसृतौ ॥९३॥
(શ્લોકાર્થ:-) કાયવિકારને છોડીને જે ફરીફરીને શુદ્ધાત્માની સંભાવના (સમ્યક્ ભાવના) કરે છે, તેનો જ જન્મ સંસારમાં સફળ છે. ૯૩.
ગાથા ૬૮ ઉપરનું પ્રવચન
‘અહીં કાયગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.’
‘કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત કર્મ છે.' જુઓ ભાઈ! અહીં અંતરંગ કારણની (-નિમિત્તની) વાત આવી છે. ૫૩ મી ગાથામાં તેની વાત આવી ગઈ છે અને અહીં પણ આવી છે. કોઈ પુરુષ અન્ય પુરુષને બાંધે તો તેમાં અંતરંગ કારણ તેનું કર્મ છે. તે પુરુષને કર્મ છે (કર્મનો એવો ઉદય છે) માટે કોઈ બાંધે છે. તેથી અંતરંગ કારણ કર્મ છે.
‘બંધનનો બહિરંગ હેતુ કોઈનો કાયવ્યાપાર છે.' બીજો પુરુષ તેને બાંધે છે ને? માટે બીજા પુરુષનો કાયવ્યાપાર બાહ્ય નિમિત્ત છે. આ રીતે બીજો પુરુષ તેને ઝાડ સાથે બાંધે, દોરડાથી બાંધે, લોઢાના સળીયાથી બાંધે વગેરે બંધન કરે તેમાં મૂળ કારણ— ખરું નિમિત્ત તો અંદર અશાતા કર્મ છે તે છે અને બાહ્યમાં નિમિત્ત બીજાના કાયનો
વ્યાપાર છે.
‘છેદનનું પણ અંતરંગ કારણ કર્યોદય છે’. કોઈ અન્ય તેને છેદે, શરીરના કટકા કરે, કાન કે નાક આદિ કાપે તેમાં અંતરંગ કારણ -નિમિત્ત કર્યોદય છે, અશાતાનો ઉદય છે.
કે
‘બહિરંગ કારણ પ્રમત્ત જીવની કાયક્રિયા છે.’ ભાષા જુઓ! કે પ્રમત્ત જીવની કાયક્રિયા બહિરંગ કારણ છે. પ્રમત્ત મુનિ (છઠ્ઠા ગુણસ્થાનવાળા મુનિ) ચાલતા હોય ત્યારે કદાચ કોઈ જીવ છેદાઈ જાય તો તેમની કાયક્રિયા છેદનમાં બાહ્ય નિમિત્ત કહેવામાં