________________
૨૦૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
લેવાથી તેના ફળમાં સહજમહિમાવંત મુક્તિ મળે છે. અહા! મુક્તિનો-સિદ્ધપદનો સહજ મહિમા છે અને તે આનંદસુખની ખાણ છે. અજ્ઞાની લોગસ્સ’માં શબ્દો બોલે છે કે સિદ્ધ સિદ્ધિ મન્ વિલંતુ ! હે સિદ્ધ ભગવાન! અમને સિદ્ધપદ દેખાડો' અર્થાત્ અમને કેવળજ્ઞાન થાવ એવી માગણી કરે છે. પરંતુ તેના અર્થને કાંઈ સમજતો નથી. એને તો ‘તુંબડીમાં કાંકરા જેવું છે. હજુ જો અર્થની ખબર નથી તો ભાવનું ભાન થવું કેમ બને? અજ્ઞાની તો સામાયિકનો પાઠ બોલે એટલે માને કે થઈ ગયો ધર્મ. ધૂળમાંય તેમાં ધર્મ થતો નથી. અહા! જૈન નામ ધરાવે છે તો પણ તેને કાંઈ ભાન નથી.
જેનું અંતરસ્વરૂપ પરમાત્મમય છે એવા અખંડાનંદમય પ્રભુ આત્માને જેણે ધ્યાનમાં લઈને પકડ્યો છે તે સહજમહિમાવંત, આનંદ-સુખની ખાણ એવી મુક્તિને અતિશયપણે એટલે કે ખાસ પ્રાપ્ત કરે છે અર્થાત્ તેની મુક્તિ જ હોય, પણ બીજું કાંઈ તેને મળે એમ હોય નહીં. હવે તેને ગતિ મળે એમ હોય નહીં એમ કહે છે. મોક્ષના માર્ગે જાય તો મોક્ષ જ મળે; મોક્ષ જ આવે. ભગવાન આત્મા મુક્તસ્વરૂપ છે અને તેનું ધ્યાન કરવાથી પર્યાયમાં મુક્તિ પ્રગટ થાય છે. લ્યો, આ મોક્ષમાર્ગની ક્રિયા. અજ્ઞાનીને આ ક્રિયાની સૂઝ પડે નહીં એટલે “યાત્રા વગેરે કરો ધર્મ થઈ જશે' એમ માને છે. અરે! ધર્મને નામે – ધર્મ શું ચીજ છે તેની ખબર નથી તેથી – અનાદિથી છેતરાણો છે ને?
- એ ૬૭ મી ગાથા પૂર્ણ થઈ. હવે ૬૮ મી ગાથામાં કાયડુમિની વ્યાખ્યા છે.
ગાથા - ૬૭ ] શ્લોક - ૯૨૭
પ્રવચન નં. NST / ૬૧ NSS / ૬૧
૬૨
તારીખ ૩-૭-૭ર ૮-૭-૭૧ ૯-૭-૭૧