________________
ગાથા – ૬૭]
[૧૯૧
છે.-આ બધી કથાઓનો પરિહાર તે વચનગુપ્તિ છે. અસત્યની નિવૃત્તિ પણ વચનગુપ્તિ છે. અથવા (અસત્ય ઉપરાંત) બીજો અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ તે જ વચનગુપ્તિ
એવી રીતે (આચાર્યવર) શ્રી પૂજ્યપાદસ્વામીએ (સમાધિતંત્રમાં ૧૭મા શ્લોક દ્વારા) કહ્યું છે કે :
(અનુષ્ટ્રમ) “एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशेषतः ।। પણ યોગ: સમાન પ્રવીપ પરમાત્મનઃ ”
“(શ્લોકાર્થ:-) એ રીતે બહિર્વચનોને ત્યાગીને અંતર્વચનોને અશેષતઃ (સંપૂર્ણપણે) ત્યાગવાં.-આ, સંક્ષેપથી યોગ (અર્થાત્ સમાધિ) છે કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે (અર્થાત્ પરમાત્માને પ્રકાશનાર દીવો છે).” વળી (આ ૬૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
(મંવાક્રાંતા) त्यक्त्वा वाचं भवभयकरी भव्यजीवः समस्तां ध्यात्वा शुद्धं सहजविलसच्चिच्चमत्कारमेकम् । पश्चान्मुक्तिं सहजमहिमानन्दसौख्याकरी तां प्राप्नोत्युच्चैः प्रहतदुरितध्वांतसंघातरूपः ॥९२॥
(શ્લોકાર્થ:-) ભવ્યજીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી શુદ્ધ સહજ-વિલસતા ચૈતન્યચમત્કારનું એકનું ધ્યાન કરીને, પછી, પાપરૂપી તિમિર સમૂહને નષ્ટ કરીને સહજમહિમાવંત આનંદસૌખ્યની ખાણરૂપ એવી તે મુક્તિને અતિશયપણે પ્રાપ્ત કરે છે. ૯૨.