________________
ગાથા
-
५७
थीराजचोरभत्तक हादिवयणस्स पावहेउस्स । परिहारो वयगुत्ती अलियादिणियत्तिवयणं वा ॥६७॥
स्त्रीराजचौरभक्त कथादिवचनस्य पापहेतोः । परिहारो वाग्गुप्तिरलीकादिनिवृत्तिवचनं वा ॥६७॥
સ્ત્રી-રાજ-ભોજન-ચોરકથની હેતુ છે જે પાપની તસુ ત્યાગ, વા અલીકાદિનો જે ત્યાગ, ગુપ્તિ વચનની. ૬૭.
અન્વયાર્થ:- (પાવહેતો ) પાપનાં હેતુભૂત એવાં (સ્ત્રીરાઞૌરમથાવિવવનસ્ય) સ્ત્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા ઈત્યાદિરૂપ વચનોનો (રિદાર:) પરિહાર (વા) અથવા (અતીષ્ઠાવિનિવૃત્તિવવન) અસત્યાદિકની નિવૃત્તિવાળાં વચનો (વાઽપ્તિઃ) તે વચનગુપ્તિ છે.
ટીકા:- અહીં વચનગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.
જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યો હોય એવા કામી જનો વડે કરવામાં આવતી અને સાંભળવામાં આવતી એવી જે સ્ત્રીઓની સંયોગવિયોગજનિત વિવિધ વચનરચના (સ્ત્રીઓ સંબંધી વાત) તે જ સ્ત્રીકથા છે; રાજાઓનું યુદ્ધહેતુક કથન (અર્થાત્ રાજાઓ વડે કરવામાં આવતાં યુદ્ધાદિકનું કથન) તે રાજકથાપ્રપંચ છે; ચોરોનું ચોરપ્રયોગકથન તે ચોરકથાવિધાન છે (અર્થાત્ ચોરો વડે કરવામાં આવતા ચોરીના પ્રયોગોની વાત તે ચોરકથા છે); અતિ વૃદ્ધિ પામેલી ભોજનની પ્રીતિ વડે મેંદાની પુરી ને ખાંડ, દહીંખાંડ, સાકર ઈત્યાદિ અનેક પ્રકારનાં અશન-પાનની પ્રશંસા તે ભક્તકથા (ભોજનકથા)