________________
૧૮૪].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
આશ્રય બીલકુલ નથી અને એકલી વ્યવહાર મનોગુમિનો શુભભાવ છે અર્થાત્ અશુભભાવનો ત્યાગ છે તેને તો વ્યવહાર પણ મનોગુમિ કહેવામાં આવતી નથી. ભારે વાતો ભાઈ! આ તો વીતરાગ મારગ છે ભાઈ! અહા! પોતે વીતરાગસ્વરૂપ આત્મા જ છે અર્થાત્ આત્મા વીતરાગસ્વરૂપ જ છે. તો વીતરાગના માર્ગ દ્વારા અંતરમાં (-આત્મામાં) જવું એ કોઈ અલૌકિક દશા છે, અલૌકિક આશ્ચર્ય છે.
અહા! દશાને પલટાવવા દિશા પલટાવવી. એટલે? કે દશાને સમ્યફ કરવા તેની દિશા પલટાવવી. એટલે કે પર્યાય, રાગ અને નિમિત્ત તરફની (એકપણાની) બુદ્ધિને પલટાવી ત્રિકાળી જ્ઞાયક તરફ બુદ્ધિ કરવી તે દશા પલટાવવા માટે દિશા ફેરવી (-પલટાવી) છે. જુઓ ને! સમ્યગ્દષ્ટિની દિશા પ્રથમ ફરી જાય છે. અને દિશા ફરતા દશા પણ ફરી જાય છે. (અજ્ઞાનીની દષ્ટિ પર્યાય, રાગ અને નિમિત્ત ઉપર હોય છે,) પણ ધર્મની દષ્ટિ પર્યાય, રાગ કે નિમિત્ત ઉપર હોતી નથી. તેની દષ્ટિ તો ત્રિકાળી દ્રવ્યસ્વભાવ ઉપર હોય છે. તેથી દિશા ફરતા દશા પણ ફરી ગઈ છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ઉત્પન્ન થયા છે. લ્યો, આમ વાત છે.
- એ મનોગુમિની વ્યાખ્યા થઈ. હવે વચનગુમિની વાત કરશે. આ બધા વ્યવહારચારિત્રના ભેદ છે હો.
જેને નિશ્ચયચારિત્ર હોય તેને એ ભૂમિકામાં આવો શુભભાવ હોય છે અને તેને વ્યવહારચારિત્ર કહે છે અર્થાત્ જેને નિશ્ચયચારિત્ર હોય તેને જ આવું વ્યવહારચારિત્ર હોય એમ કહે છે. પરંતુ જેને અંદરમાં નિશ્ચયચારિત્ર નથી તેને તો વ્યવહારચારિત્ર— મનોસુમિ કે વચનગુતિ આદિ – પણ હોઈ શકે જ નહીં. નિશ્ચય વિના વ્યવહાર કેવો? ઝીણી વાતો છે બાપા! અહા! વીતરાગ મારગને જાણવો તે અલૌકિક વાત છે. અહીંયા એકલી વ્યવહાર મનોગુમિની વ્યાખ્યા કરી છે તેથી કરીને જેને અંતરમાં આત્મ-અનુભવ અને વીતરાગદશા નથી તેને (-દ્રવ્યલીંગીને) પણ આ વ્યવહાર મનોગુતિ હોય છે એમ નથી કહેવું. કેમ કે દ્રવ્યલીંગી મિથ્યાદષ્ટિને કે જે અનાદિનો અજ્ઞાની છે તેને–વ્યવહાર કેવો? મિથ્યાદષ્ટિ નવમી ગ્રવૈયકે ગયો, ‘મુનિવ્રતધાર અનંત ઐર ગ્રવૈયક ઉપાયો', તોપણ તેને વ્યવહારચારિત્ર નથી. કેમ કે વસ્તુ (નિશ્ચયચારિત્ર) નથી ને? આવી વાત છે.
અહા! છઠ્ઠા ગુણસ્થાને ત્રણ કષાયના અભાવપૂર્વકની શુદ્ધપરિણતિ છે તે સાતમા ગુણસ્થાનના શુદ્ધોપયોગનું કારણ છે. છતાં મુનિના શુભોપયોગને વ્યવહારથી-આરોપથી