________________
૧૮૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ત્યાગપૂર્વક શુભભાવ હોય છે અને તેને વ્યવહાર મનોગુમિ કહે છે. તે ઉપરાંત અહીં ખુબી શું છે? કે ટીકામાં ‘અશુભ પરિણામપ્રત્યયો' કહ્યા તો તેમાંથી ફૂટનોટમાં એમ કાવ્યું કે શુભ પરિણામપ્રત્યયો પણ છે અર્થાત્ શુભપરિણામ પણ આસવ છે. પરંતુ તેનો વ્યવહાર મનોગુણિમાં મુનિને પરિવાર નથી. ભાઈ! અહીં ટીકામાં એમ સમજાવવું નથી કે બન્ને શુભ અને અશુભભાવ આસ્રવ છે તેનો ત્યાગ વ્યવહાર મનોગુણિમાં છે. -એમ નથી કહેવું. આ તો ફક્ત “અશુભ પરિણામપ્રત્યય' એવો શબ્દ ટીકામાં આવ્યો તેથી તેમાંથી અર્થ કાઢયો કે શુભ પરિણામ પણ આસ્રવ છે.
અહા! અહીં વ્યવહાર મનોગુણિમાં ભાવપુણ્યાસવનું ગોપન થાય છે એમ નથી કહેવું. પરંતુ અહીં તો એટલી વ્યાખ્યા છે કે ભાવપુણ્યાસ્રવ તેમ જ ભાવપાપાસવ સંસારના કારણ છે. આમ પુણ્યાસ પણ સંસારનું કારણ છે એ વાત સમજાવી છે.
પ્રશ્ન:- અમારે બધી જગ્યાએ સમજવું જ (-સમજણ જ કરવી?
સમાધાન:- આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેથી તેના માટે (ભાગે) સમજવું જ આવે. તે સિવાય બીજું શું આવે? જ્ઞાની, વ્યવહાર મનોગુપ્તિમાં અશુભભાવનો ત્યાગ છે એમ જાણે અને તે વ્યવહાર મનોગુમિનો શુભરાગ બંધનું કારણ છે એમ પણ જાણે તથા નિર્વિકલ્પધારા-જ્ઞાનધારા વર્તે છે તે મોક્ષનું કારણ છે એમ પણ જાણે. -આમ આવા ભાવો હોય છે તેને આત્મા (જ્ઞાની) જાણે છે.
અહા! મુનિની આહાર લેવાની વૃત્તિ અશુભભાવ નથી, છતાં પણ તે છે તો રાગધારાકર્મધારા. તીર્થકર જ્યારે મુનિપણે છદ્મસ્થ હોય ત્યારે તેમને પણ આહાર લેવાની વૃત્તિ હોય છે. પરંતુ તે વૃત્તિ અશુભભાવ છે એમ નથી, તે શુભભાવ છે. “મોક્ષમાર્ગપ્રકાશક'માં આ વાત આવે છે ને? કે મુનિને અશુભભાવનો ત્યાગ જ છે, તેમને અશુભભાવ હોય જ નહીં. કદાચ ધર્મના લોભી—ધર્મ સમજવાના કામી-કોઈ જીવ આવે અને શુભરાગ હોય તો ઉપદેશ આપે છે. બસ. તો, તે ઉપદેશ દેવાનો વિકલ્પ–સમજાવવાનો ભાવ શુભરાગ છે, પુણ્યાસ્રવ છે. તે શુભરાગ પણ પોતાના કારણે આવે છે હો. તેને (ધર્મના લોભી જીવને) સમજાવે છે માટે શુભરાગ આવે છે એમ નથી.
અહીં કહ્યું કે અશુભ પરિણામનો – ભાવપાપામ્રવનો - ત્યાગ તે વ્યવહાર મનોગુતિ છે. પણ ભાવપુણ્યાસવનો ત્યાગ તે વ્યવહારનયના અભિપ્રાયથી મનોગુમિ છે એમ નથી.