________________
ગાથા – ૬૬]
[૧૭૭
“આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એવા (ચાર) ભેદોને લીધે સંજ્ઞા ચાર પ્રકારે છે.' - આવા સંજ્ઞાના અશુભ પરિણામને પણ મુનિરાજ છોડે છે. અહા! મુનિ આહાર કરે-લે તે આહારસંશા નથી. કેમ કે આહાર સંજ્ઞા તો આહારની વૃદ્ધિ હોય તેને કહે છે. મુનિ પોતાને વ્યવહાર મનોગુમિ છે તેમાં આહારની વૃદ્ધિ છોડે છે. તેથી તેમને આહારસંશા છે નહીં.) આહાર લેવો-ખાવો તે આહાર સંજ્ઞા છે એમ નથી. કારણ કે નહીંતર તો, મુનિ આહાર લે તે આહારસંશા થઈ અને તે તો અશુભભાવ છે. પરંતુ મુનિને અશુભભાવ હોતો નથી.) માટે આહાર લેવો તે આહાર સંજ્ઞા નથી, પણ આહારની વૃદ્ધિ તે આહારસંજ્ઞા છે અને તેવા અશુભભાવને મુનિ છોડે છે.
ઘણા અજ્ઞાની એમ કહે છે કે મુનિ આહાર લે છે તેથી તેમને આહાર સંજ્ઞા છે. પરંતુ અહીં તેની ના પાડે છે કે એમ નથી. કેમ કે આહાર સંજ્ઞાની એવી વ્યાખ્યા જ નથી. આહાર સંજ્ઞા તો વૃદ્ધિ થઈને (-સહિત) આહાર લે તેને કહે છે અર્થાત્ આહારમાં વૃદ્ધિ હોય તેવા અશુભભાવને આહારસંશા કહે છે. આ રીતે આહારસંશા એ અશુભભાવ છે અને તેને મુનિ છોડે છે. પણ મુનિ આહાર લે તે શુભભાવ છે અને તે તો મુનિને હોય છે. બીજી રીતે કહીએ તો, અશુભભાવરૂપ આહાર સંજ્ઞા છે તેને મુનિ છોડે છે, પણ આહારનો શુભભાવ તો તેમને હોય છે. આહાર માટે ભલે તેઓ ગોચરી કરે છે, છતાંપણ તે શુભભાવ-શુભવિકલ્પ છે અને તે તેમને હોય છે. જ્યારે આહાર સંજ્ઞાનો અશુભભાવ તેમને હોતો નથી.) આ રીતે મુનિને આહારસંશા નથી એમ અહીં કહેવું
પ્રશ્ન:- મુનિ આહાર તો ગ્રહણ કરે છે ને?
સમાધાન:- મુનિ આહાર ગ્રહણ કરતા નથી. તેઓ તો આહાર આવે તેને જાણે છે. તેમને આહારનો ભાવ આવે તે શુભભાવ છે. જ્યારે આ આહાર સંજ્ઞા આદિ બધા ભાવ અશુભભાવ છે કે જેને તેઓ છોડે છે. જુઓ ને! એ જ વાત અંદરમાં છે ને? કે ‘ઈત્યાદિ અશુભ પરિણામપ્રત્યયોનો પરિહાર...'
અહીં કહે છે કે આહાર સંજ્ઞા આદિ ચારેય સંજ્ઞા અશુભ છે, તેમાં શુભભાવ હોતો નથી અને તેને મુનિ છોડે છે અર્થાત્ આહાર સંજ્ઞા આદિ બધા અશુભ પરિણામનો મુનિને પરિહાર છે, પણ શુભભાવનો નહીં. કારણ કે શુભભાવ-વ્યવહાર તો તેમને છે. તેમ જ અહીં વ્યવહાર મનોસુમિની વાત લેવી છે ને? તો, વ્યવહાર મનોમિમાં અશુભ પરિણામનો ત્યાગ છે, પણ શુભપરિણામનો નહીં.