________________
૧૭૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
*અશુભ પરિણામપ્રત્યયોનો પરિહાર જ (અર્થાતુ અશુભ પરિણામરૂપ ભાવપાપાગ્નવોનો ત્યાગ જ) વ્યવહારનયના અભિપ્રાયથી મનોગુપ્તિ છે. (હવે ૬૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:)
(વસંતતિલૅI) गुप्तिर्भविष्यति सदा परमागमार्थचिंतासनाथमनसो विजितेन्द्रियस्य । बाह्यान्तरङ्गपरिषङ्गविवर्जितस्य
श्रीमज्जिनेन्द्रचरणस्मरणान्वितस्य ॥९१॥ (શ્લોકાર્થ:-) જેનું મન પરમાગમના અથના ચિંતનયુક્ત છે, જે વિજિતેંદ્રિય છે (અર્થાત જેણે ઈંદ્રિયોને વિશેષપણે જીતી છે), જે બાહ્ય તેમ જ અત્યંતર સંગ રહિત છે અને જે શ્રીનિંદ્રચરણના સ્મરણથી સંયુક્ત છે, તેને સદા ગુપ્તિ હોય છે. ૯૧.
છેગાથા - ૬૬ ઉપરનું પ્રવચન
આ, વ્યવહાર મનોસુમિના સ્વરૂપનું કથન છે.” નીચે ફૂટનોટ છે તેનો ખુલાસો બે-ત્રણ વાર આગળ આવી ગયો છે. જુઓ, પાના નં. ૧૧૨, ૧૧૭ અને ૧૧૯ (નિયમસાર શાસ્ત્ર).
ક્રોધ, માન, માયા અને લોભ નામના ચાર કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તે કલુષતા છે.' - આવા અશુભભાવને સ્વરૂપના દષ્ટિ અને અનુભવપૂર્વક તેમ જ ત્રણ કષાયના અભાવરૂપના અંતરના ચારિત્રપૂર્વક મુનિરાજ છોડે છે એમ કહેવું છે.
‘દર્શનમોહ અને ચારિત્રમોહ એવા (બે) ભેદોને લીધે મોહ બે પ્રકારે છે.” મોહને પણ મુનિરાજ છોડે છે અર્થાત્ તેનો પરિહાર કરે છે. જુઓ, ગાથામાં એમ છે ને ? કે ‘રિહારો”.
* પ્રત્યયો = આસ્રવી; કારણો. (સંસારનાં કારણોથી આત્માનું ગોપન-રક્ષણ કરવું તે ગુપ્તિ છે.
ભાવપાપાસવો તેમ જ ભાવપુણ્યાગ્નવો સંસારનાં કારણો છે.)