SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ છે ગાથા - ૬૬ હું कालुस्समो हसण्णारागद्दो साइअसुहभावाणं । परिहारो मणुगुत्ती ववहारणयेण परिकहियं ॥६६॥ कालु प्यमोहसंज्ञारागद्वेषाद्य शुभभावानाम् । परिहारो मनोगुप्तिः व्यवहारनयेन परिकथिता ॥६६।। કાલુષ્ય, સંજ્ઞા, મોહ, રાગ, દ્વેષ આદિ અશુભના પરિહારને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૧૬. અન્વયાર્થ:- (નુષ્યમોદસંજ્ઞા પાદ્યગુમાવીનામુ) કલુષતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાવોના (પરિહાર:) પરિહારને વ્યવહારનયેન) વ્યવહારનયથી (મનો પ્તિ) મનોગુપ્તિ (રકતા) કહેલ છે. ટીકા:- આ, વ્યવહાર *મનોગુપ્તિના સ્વરૂપનું કથન છે. ક્રોધ, માન, માયા અને લોભ નામના ચાર કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તે કલુષતા છે. દર્શનમોહ અને ચારિત્રમોહ એવા (બે) ભેદોને લીધે મોહ બે પ્રકારે છે. આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એવા (ચાર) ભેદોને લીધે સંજ્ઞા ચાર પ્રકારે છે. પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ એવા (બે) ભેદને લીધે રાગ બે પ્રકારનો છે. અસહ્ય જનો પ્રત્યે અથવા અસહ્ય પદાર્થસમૂહો પ્રત્યે વૈરનો પરિણામ તે દ્વેષ છે. -ઈત્યાદિ * મુનિને મુનિcોચિત શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) મન-આશ્રિત, વચન-આશ્રિત કે કાય-આશ્રિત શુભોપયોગ તેને વ્યવહાર ગુપ્તિ કહેવામાં આવે છે, કારણ કે શુભોપયોગમાં મન, વચન કે કાર્ય સાથે અશુભોપયોગરૂપ જોડાણ નથી. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે. તે શુભોપયોગ તો વ્યવહારગુપ્તિ પણ કહેવાતો નથી.
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy