________________
૧૭૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! અત્યારે આ મોટી ચર્ચા ચાલે છે કે જુઓ! મુનિ આહાર લે છે એટલે તેમને આહારસંશા હોય છે. ભાઈ! તે ખોટી વાત છે, બિલકુલ એમ નથી. કેમ કે આહાર લેવાનો ભાવ તે આહારસંશા નથી, પરંતુ આહારની વૃદ્ધિ તે આહાર સંજ્ઞા છે અને તે મુનિને હોતી નથી. તથા આહાર સિવાય બીજી ત્રણ સંજ્ઞા હોવાનો – ભય, મૈથુન અને પરિગ્રહમાં વૃદ્ધિ હોવાનો – પ્રશ્ન જ નથી. કેમ કે એ બધા અશુભભાવ હોવાથી મુનિને છે જ નહીં. આમ, આ આહારસંશા આદિ ચારેય સંજ્ઞા અશુભભાવમાં જાય છે અને મુનિ આહાર લે તે અશુભભાવ નથી, પણ શુભભાવ છે. (તેથી મુનિ આહાર લે તોપણ તેમને આહારસંજ્ઞા નથી.) ભલે મુનિને આહાર લેવાનો ભાવ છે તો આસ્રવે. છતાંપણ તે શુભભાવ છે, અશુભભાવ નહીં. જુઓ ભાઈ! મુનિને આહાર લેવાનો વિકલ્પ હોય તે પુણ્યાસવ છે, પણ આહાર સંજ્ઞા નથી – આહારસંજ્ઞાનો અશુભભાવ નથી એમ અહીં કહે છે.
“પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ એવા (બે) ભેદને લીધે રાગ બે પ્રકારનો છે.'
અસહ્ય જનો પ્રત્યે” એટલે કે આકરા માણસો અને તેના વચનો વગેરે પ્રત્યે ‘અથવા અસહ્ય પદાર્થસમૂહો પ્રત્યે વૈરનો પરિણામ તે દ્વેષ છે.”
-ઈત્યાદિ અશુભ પરિણામપ્રત્યયોનો પરિહાર જ (અર્થાત અશુભ પરિણામરૂપ ભાવપાપાસવોનો ત્યાગ જ) વ્યવહારનયના અભિપ્રાયથી મનોગુપ્તિ છે.” જુઓ, કહે છે કે (ઉપર કહ્યા) તે બધા અશુભ પરિણામપ્રત્યયોનો-આસવોનો પરિહાર જ વ્યવહારના અભિપ્રાયથી મનોગુમિ છે.
નીચે ફૂટનોટમાં લખ્યું છે કે “પ્રત્યયો = આસવો; કારણો. (સંસારનાં કારણોથી આત્માનું ગોપન-રક્ષણ કરવું તે ગુમિ છે. ભાવપાપામ્રવો તેમ જ ભાવપુણ્યાસૂવો સંસારનાં કારણો છે.) અહા ! શુભપરિણામ પણ પ્રત્યય-આસ્રવ છે.
પ્રશ્ન:- ભાવપુણ્યાસવના ત્યાગની વાત ટીકામાં નથી લીધી, તો પછી અહીં ફૂટનોટમાં કેમ લીધી છે?
સમાધાન:- ટીકામાં વ્યવહારગુમિની વાત છે ને? અને વ્યવહારગુણિમાં શુભ પરિણામનો ત્યાગ હોતો નથી, પણ અશુભ પરિણામનો ત્યાગ હોય છે. તેથી ટીકામાં અશુભ પરિણામના ત્યાગની વાત – એટલી જ વાત લીધી છે. (પરંતુ ભાવપુણ્યાશ્રવના