________________
૧૬૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
રીતે કહીએ તો, સંસારનું નિમિત્ત તે જડમન અને સંસારનું ઉપાદાન-મૂળ કારણ તે પોતાના વિકારી પરિણામ. તે બન્નેને—સંસારના નિમિત્તભૂત એવા મનને તથા સંસારના કારણભૂત એવા વિકારી પરિણામને—મુનિ લક્ષમાંથી છોડી દે છે.
અહા! જેની દષ્ટિમાં અપૂર્ણતા તેમ જ વિપરીતતા પણ નથી, અરે! આ વ્યવહારસમિતિનો વિકલ્પ ઉઠ તે પણ જેની દષ્ટિમાં નથી, પણ જેની દષ્ટિમાં ‘નિર્મળાનંદ પ્રભુ ચૈતન્ય ભગવાન આત્મા–પરિપૂર્ણ પરમાત્મા–હું ' એમ તરવરે છે એવા મુનિની વાત કરતા અહીં કહે છે કે, આવી મુનિપણાની સ્થિતિમાં પણ શરીરનો સંબંધ હોવાથી મળમૂત્ર ઉત્પન્ન થવાનો તેમ જ તેના ત્યાગનો પ્રસંગ બને છે. અને ત્યારે – મળમૂત્રના ત્યાગ વખતે – જે વિકલ્પ ઉઠે છે તે સંસારનું કારણ છે. તે વિકલ્પમાં-પરિણામમાં મનનો સંબંધ હોય છે, મન નિમિત્ત હોય છે. હવે કહે છે કે, મુનિરાજ (૧) વ્યવહાર સમિતિના શુભ પરિણામ સમયે પેશાબ કે વિષ્ટા નીકળવી એવી જે કાયાની
જડરૂપ ક્રિયા છે તેને છોડી દે છે. અર્થાત્ મુનિરાજ શરીરની ક્રિયાનું લક્ષ છોડી
(૨) સંસારનું મૂળ કારણ એવા વ્યવહાર સમિતિના પરિણામને છોડી દે છે અને (૩) વ્યવહાર સમિતિના શુભપરિણામનું નિમિત્ત એવું જડમન છે તેનો પણ સંબંધ છોડી
દે છે.
લ્યો, આ, મુનિની વાત ચાલે છે. પ્રશ્ન:- મુનિ મનનો સંબંધ છોડી દે? તો તો તેઓ વીતરાગ થઈ જાય?
સમાધાન - સાંભળ ને જેટલો મનનો સંબંધ છૂટ્યો છે તેટલા વીતરાગ જ છે. આવું મુનિપણું છે. અરે! સમ્યગ્દર્શન પણ શું (કેવું) છે બાપા ! કે તેમાં સમકિતીને પૂર્ણાનંદનો નાથ દષ્ટિમાં આવ્યો છે અને તેને, કહે છે કે, વ્યવહારની – દયા,દાન, વ્રતાદિની – શુભક્રિયાના પરિણામનો પણ ત્યાગ વર્તે છે. કેમ કે એ રાગનો સ્વભાવમાં અભાવ છે. હવે જ્યારે સમકિતીની દશા આવી છે, ત્યારે અહીં તો મુનિની વાત ચાલે છે કે જેઓ અતીન્દ્રિય આનંદમાં ઝૂલે છે. તેઓ, કહે છે કે, સંસારનું કારણ એવા પરિણામનો ત્યાગ કરે છે અને કાયોત્સર્ગ કરે છે એટલે કે કાયાનું લક્ષ છોડીને સ્વરૂપમાં સ્થિર થાય છે. લ્યો, આને અહીંયા કાયોત્સર્ગ કહેવામાં આવે છે. તથા તેઓ મનનો પણ ઉત્સર્ગ