________________
૧૫૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પ્રશ્ન:- મુનિને વિકલ્પ આવે તે અપવાદ માર્ગ છે? સમાધાન:- (હા.) (૧) મુનિને વિકલ્પ આવે તે અપવાદ માર્ગ છે અને વિકલ્પ વિનાની દશા
તે ઉત્સર્ગ માર્ગ છે. (૨) મુનિને વિકલ્પ આવે તે વ્યવહારનય છે અને અંદર સ્થિરતા થાય તે
નિશ્ચયનય છે. (૩) મુનિને વિકલ્પ આવે તે અપહૃતસંયમ છે અને અંદર સ્થિરતા થાય તે
ઉપેક્ષાસંયમ છે. (૪) મુનિને વિકલ્પ આવે તે શુભોપયોગ છે અને અંદર સ્થિરતા થાય તે
શુદ્ધોપયોગ છે. (૫) મુનિને વિકલ્પ આવે તે એકદેશપરિત્યાગ છે અને અંદર સ્થિરતા થાય
તે સર્વદેશપરિત્યાગ છે. અરે! લોકોને ખબર પણ નથી કે વીતરાગનો મારગ શું છે! એ તો જે કુળમાં જન્મ્યા તે મારો ધર્મ એમ માને છે. થઈ રહ્યું, (કુળધર્મમાં જ અટકી જાય છે.)
ગાથા – ૬૪ શ્લોક - ૮૭
પ્રવચન નં. NST / ૫૯ NSS / ૬૦
તારીખ ૩૦-૬-૭ર ૬-૭-૭૧