________________
હું ગાથા - ૬૫ -
पासुगभूमिपदेसे गूढे रहिए परोपरोहेण । उच्चारादिच्चागो पइट्ठासमिदी हवे तस्स ॥६५॥ प्रासुकभूमिप्रदेशे गूढे रहिते परोपरोधेन । उच्चारादित्यागः प्रतिष्ठासमितिर्भवेत्तस्य ॥६५।।
જે ભૂમિ પ્રાસુક, ગૂઢ ને ઉપરોધ જ્યાં પરનો નહીં, મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠાપન તણી. ૬૫.
અન્વયાર્થ:- (પરોવરોધેન રહિતે) જેને પરના ઉપરોધ વિનાના (-બીજાથી રોકવામાં ન આવે એવા), (મૂ૮) ગૂઢ અને (પ્રાસુમૂમિપ્રવેશે) પ્રાસુક ભૂમિપ્રદેશમાં (૩ન્વીરદ્વિત્યા :) મળાદિનો ત્યાગ હોય, (તસ્ય) તેને (પ્રતિષ્ઠાસમિતિઃ) પ્રતિષ્ઠાપન સમિતિ (વે) હોય
ટીકા:- આ, મુનિઓને કાયમળાદિત્યાગના સ્થાનની શુદ્ધિનું કથન છે.
શુદ્ધનિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી અન્નગ્રહણરૂપ પરિણતિ નથી. વ્યવહારથી (જીવન) દેહ છે; તેથી તેને જ દેહ હોતાં આહારગ્રહણ છે; આહારગ્રહણને લીધે મળમૂત્રાદિક સંભવે છે જ. તેથી જ સંયમીઓને મળમૂત્રાદિકના ઉત્સર્ગનું (-ત્યાગનું) સ્થાન જંતુરહિત અને પરના ઉપરોધ રહિત હોય છે. તે સ્થાને શરીરધર્મ કરીને પછી જે પરમસંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાંક પગલાં જઈને ઉત્તરમુખે ઊભા રહીને, કાયકર્મોનો (-શરીરની ક્રિયાઓનો), સંસારના કારણભૂત હોય એવા પરિણામનો તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, નિજ આત્માને અવ્યગ્ર (-એકાગ્ર) થઈને ધ્યાવે છે અથવા ફરીફરીને કલેવરનું (શરીરનું) પણ અશુચિપણું સર્વ તરફથી ભાવે છે,